શાસ્ત્રો અનુસાર આપણે કોઇ પણ કામની શરૂઆત કરીએ તે પહેલા ગણેશજીની પૂજા કરતા હોઇએ છીએ. એવુ માનવામાં આવે છે કે તેમના પિતા મહાદેવના વરદાન પ્રમાણે ગણેશજીની પૂજા ન થાય ત્યાં સુધી બીજા કોઇ પણ દેવતાની પૂજા સ્વિકારવામાં આવતી નથી.
ગણેશજીની સૂંઢવાળી મૂર્તિ
કઇ મૂર્તિ રાખવાથી આવશે સમૃદ્ધિ
ઘરમાં અને ઑફિસમાં કેવી મૂર્તિ રાખશો
આપણે કોઇ પણ કાર્યની શરૂઆત પહેલા શ્રીગણેશ જરૂર લખીએ છીએ. ભગવાન ગણપતિની ઘણી વાર્તા તમે સાંભળી હશે પરંતુ આજે અમે તમને તેમની સુંઢને લઇને કેટલીક વાતો જણાવીશું, જેમકે તેમની સુંઢ કઇ તરફ હોય તો તે ભાગ્યશાળી ગણાય.
કહેવામાં આવે છે કે ભગવાન શંકરે ક્રોધમાં આવીને ગણેશજીનુ માથુ ત્રિશુલથી કાપી નાંખ્યુ હતુ. ત્યારે માતા પાર્વતીએ હાથીના બચ્ચાનુ માથુ કાપીને ગણેશજીના માથે લગાવી દીધુ હતુ. ત્યારથી ગણેશજીને ગજમુખાય પણ કહેવાય છે.
ગણેશજીની સુંઢ સાથે જોડાયેલી કેટલીક બાબતો
એવુ માનવામાં આવે છે કે ભગવાન ગણેશ પોતાની સુંઢથી પરમ પિતા બ્રહ્માજીને જળ અર્પણ કરે છે.
સુંઢ વાળી ગણેશજીની મૂર્તિ જોઇને ઘરમાંથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.
ગણેશજીની સૂંઢ બુદ્ધિમતા અને વિવેક શીખવે છે.
ગણેશજીની મૂર્તિ ઘરમાં રાખવાથી ઘર પોઝીટીવ એનર્જીથી ભરાઇ જાય છે.
જમણી બાજુ સુંઢ
જમણી બાજુ હોય તેવી સુંઢવાળી પ્રતિમાને ઘર કે ઑફિસમાં રાખવામાં નથી આવતી, આ પ્રકારની પ્રતિમા માત્ર મંદિરોમાં સ્થાપિત કરવામાં આવે છે. કારણકે આ પ્રકારની મૂર્તિને વિધિ વિધાન દ્વારા સ્થાપિત કરવામાં આવે છે.
ડાબી બાજુ સુંઢ
ડાબી બાજુ સૂંઢ વાળા ગણેશને ઘરમાં કે ઑફિસમાં સ્થાપિત કરવા જોઇએ, જેનાથી વાતાવરણમાં સકારાત્મકતા આવે છે અને સુખ સમૃદ્ધિ તમારો સાથ ક્યારેય નથી છોડતી.
સીધી સૂંઢ
સીધી સૂંઢ વાળી પ્રતિમા ખુબ દુર્લભ હોય છે. આ પ્રકારની પ્રતિમા તમને ખુબ ઓછી જોવા મળશે. આ પ્રકારની પ્રતિમાની પૂજા રિદ્ધિ-સિદ્ધિ, જાગરણ કે મોહ માયા છોડવા માટે હોય છે. સાધુ સંત પાસે જ આ પ્રકારની મૂર્તિ હશે.