ગણેશ વિસર્જનના દિવસે રવિવારથી દેશમાં અનેક જગ્યાઓએ અનેક દુર્ઘટનાઓ બની. મુંબઈ, બારાબંકી, ભિંડ અને રાજગઢમાં અનેક લોકોના ડૂબવાની ઘટના બની છે.
ગણેશ વિસર્જનમાં ડૂબ્યા અનેક લોકો
12 બાળકો સહિત 15 લોકો ડૂબ્યા
મુંબઈ, બારાબંકી, ભિંડ અને રાજગઢમાં અનેક લોકોના ડૂબવાની ઘટના બની
ગણેશ વિસર્જનના દિવસે એટલે કે ગઈકાલે દેશના અનેક વિસ્તારોમાં લોકોના ડૂબવાની ઘટનાઓ બની હતી. મુંબઈના વર્સોવા બીચ પર વિસર્જન સમયે 5 બાળકો ડૂબી ગયા જેમાં 2ને બચાવી લેવાયા હતા. આ રીતે યૂપીના બારાબંકીમાં પણ મોટી દુર્ઘટના બની અને વિસર્જન સમયે 5 શ્રદ્ધાળુઓ કલ્યાણી નદીમાં ડૂબી ગયાની માહિતિ મળી રહી છે.
યૂપીમાં બની આવી ઘટનાઓ
યૂપીમાં બારાબંકીમાં મૂર્તિ વિસર્જન સમયે મોટી દુર્ઘટના બની. ગણેશજીની મૂર્તિના વિસર્જનના સમયે 5 શ્રદ્ધાળુઓ કલ્યાણી નદીમાં ડૂબ્યા. ડૂબનારામાં એક મહિલા અને 4 પુરુષો છે.
બારાબંકીમાં એક ઘટનામાં 5ના મોત
મળતી માહિતિ અનુસાર અહીં એસડીઆરએફની ટીમને બોલાવવામાં આવી. સ્થાનિક ગોતાખોરોએ મૃતદેહની તપાસ કરી પણ કંઈ હાથ લાગ્યું નહીં. અહીં પરિવારના તમામ લોકો વિસર્જન માટે કલ્યાણી નદી પર હયા હતા. ડૂબનારના નામ છે નારાયણધર પાંડેય પુત્ર હરિશ્ચન્દ્ર- 55 વર્ષ, નીલશે પટવાના પુત્ર મદન પટવા - 35 વર્ષ, મદન પટવાના પત્ની મુન્ની પટવા- 55 વર્ષ, ધર્મેન્દ્ર કશ્યપના પુત્ર સીતારામ - 20 વર્ષ, સૂરજ પટવાના પુત્ર મદન -18 વર્ષ છે.
ભિંડમાં સગાભાઈ સહિત 4ના મોત
અહીં ગણેશ વિસર્જન માટે તળાવમાં ઉતરેલા 4 ભાઈઓના મોત નીપજ્યા હતા. મૃતકોમાં 2 સગાભાઈના મોત થયા છે. ઘટના મેહગામના વિસ્તારના તળાવની છે. ગણેશ વિસર્જન બાદ ભાઈઓએ તળાવમાં નહાવાની કોશિશ કરી પણ પરિવારજનોએ રોક્યા, પણ પરિવારના ગયા બાદ તેઓ નહાવા પડ્યા અને ઊંડા પાણીીના કારણે 4 બાળકો એકસાથે ડૂબી ગયા. મૃતકોના નામ અભિષેક, પ્રશાંત, સચિન અને હર્ષિત ગણાવાયા છે. દરેકની ઉંમર 10-12 વર્ષની વચ્ચેની માનવામાં આવી રહી છે. અભિષેક અને પ્રશાંત સગાભાઈઓ હતા.
વર્સોવા બીચ પર 5 બાળકો ડૂબ્યા
મુંબઈના વર્સોવા બીચ પર ગણપતિ વિસર્જનના સમયે 5 બાળકો સમુદ્રમાં ડૂબ્યા, જેમાંથી 2 બાળકોને વર્સોવા પોલિસ સ્ટેનના એક કોન્સ્ટેબલે સુરક્ષિત બચાવી લીધો છે. જ્યારે 3 બાળકો મિસિંગ છે. મોડી રાત સુધી તેમની તપાસ ચાલુ હતી. ડૂબેલા 3 બાળકોની ઉંમર 18-22 વર્ષની વચ્ચેની માનવામાં આવી રહી છે. મૃતદેહની તપાસ ચાલી રહી છે.
એમપીના રાજગઢમાં એક યુવકનું મોત
અહીં કાચરિયા ગામમાં 17 વર્ષના બાળકનું ગણેશ વિસર્જન સમયે મોત થયું છે. વિસર્જન સમયે પગ લપસી જતાં તે કૂવામાં પડી ગયો હતો. પોલિસ અને ગામ લોકોએ તેને બહાર કાઢ્યો અને તેને હોસ્પિટલ લઈ જવાયો. અહીંથી તેને અન્ય હોસ્પિટલ રીફર કરાયો, ત્યા લઈ જતા સુધીમાં જ તેનું મોત થઈ ચૂક્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પરિવારને સોંપી દેવાયો હતો.