વિઘ્નહર્તા ગણેશજીનો 10 દિવસ ચાલનારો ગણેશોત્સવ 19 સપ્ટેમ્બરે રવિવારે સમાપ્ત થશે. 10 દિવસમાં ગણેશપૂજાની સાથે આ ખાસ મંત્રનો જાપ કરી લેવાથી સંકટથી મુક્તિ મળી શકે છે.
ગણેશચતુર્થીએ કરો આ ખાસ કામ, મળશે ફાયદો
અનેક મોટા સંકટોથી મુક્તિ અપાવે છે ગણેશજીનો આ મંત્ર
જાણી લો ફાયદા અને આજથી શરૂ કરો ઉપાય
ગણેશ ચતુર્થીએ અનેક લોકો પોતાની શ્રદ્ધા અનુસાર ગણેશજીને પોતાના ઘરમાં લાવે છે. આ તહેવાર લોકો ધામ ધૂમથી ઉજવે છે. આ સાથે તેમની માન્યતા છે કે વિધ્નહર્તાને ઘરે લાવવાથી તેમની મુશ્કેલીઓનો નાશ થશે અને ફાયદો થશે.
આટલા દિવસ સુધી ઉજવી શકાશે તહેવાર
ગણેશજીને ઘરમાં 5, 7 અને 9 દિવસ સુધી રાખી શકાય છે અને પછી તેમનું વિસર્જન કરી દેવામાં આવે છે. આ સમયે ગણેશ ભગવાનની સાચા દિવથી આરાધના કરો તો તમામ સંકટોનો નાશ કરી શકાય છે. આ સમયે જીવનમાં અનેક કષ્ટનો નાશ થઈ જાય છે.
સિદ્ધ સ્તોત્ર છે સંકટનાશક ગણેશ સ્તોત્ર
જાણકારો કહે છે કે ગણપતિના આ સ્તોત્ર સિદ્ધ સ્તોત્ર છે. ગણેશ ઉત્સવ ગણેશની ખાસ પૂજનનો દિવસ છે. તેમાં પાઠ શરૂ કરવો પુણ્યદાયી માનવામાં આવે છે. ધ્યાન રાખો કે કોઈ પણ કામની સિદ્ધિ માટે મનમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. તેના વિના કંઈ થઈ શકતું નથી. ગણેશજીનો પાઠ શ્રદ્ધા સાથે સતત 40 દિવસ સુધી કરાય તો મોટા સંકટ ટળે છે. ધ્યાન રાખો કે કોઈ પણ કામની સિદ્ધિ માટે મનમાં શ્રદ્ધા હોવાનું જરૂરી છે. તેના વિના કંઈ કામ શક્ય બનતું નથી. જો તમે રોજ આ પાઠ કરશો તો તમે તેના લાભ જાણી શકશો. નિયમિત વિધિ વિધાનની સાથે પૂજન કરવાથી કષ્ટનો નાશ થાય છે અને જીવન સુખમય બને છે.