અરવલ્લી જીલ્લાના બાયડમાં ગણેશ વિસર્જન યાત્રામાં અનોખો દેશભક્તિનો રંગ જોવા મળ્યો. ભગવાન ગણેશની વિસર્જન યાત્રામાં ૧૧૧ ફૂટ લાંબા તિરંગા સાથે પુલવામામાં ના શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અપાઇ હતી.
સોમવારથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ થયો છે ત્યારે સામાન્ય રીતે ભક્તો દ્વારા પોતાની માનતા મુજબ દોઢ દિવસ, ત્રણ દિવસ તેમજ સાત દિવસ અને ૧૧ દિવસના ગણપતિજી ની સ્થાપના કરતા હોય છે.
અરવલ્લી જીલ્લામાં પણ છ તાલુકા મથકો ખાતે 50થી વધુ ગણેશ મંડળો દ્વારા જુદા-જુદા ગણેશ પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. બાયડ ગણેશ મંડળ દ્વારા ત્રણ દિવસ માટે 6 ફૂટની ઊંચાઈ ધરાવતાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. મંગળયાન તેમજ શહીદોના ટેબલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં.
ત્યારે ત્રણ દિવસના પૂજન અર્ચન બાદ આજે ગણેશજીનું વિસર્જન કરાયું હતું. ત્યારે આ ગણેશ વિસર્જન યાત્રા એક અલગ પ્રકારે દેશ ભક્તિના રંગમાં રાગયેલી જોવા મળી હતી. આ યાત્રામાં મંડળ દ્વારા ૧૧૧ ફૂટ લાંબો રાષ્ટ્ર દ્વાજ બનાવાયો હતો. જેના નીચે પુલવામામાં શહીદ થયેલા શહીદોના ફોટા લગાવી શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જ્યારે મંગળયાન તેમજ શહીદોના ટેબલો પ્રદર્શિત કર્યા હતા. ત્યારે ભગવાન ગણેશની આ વિસર્જન યાત્રા ભગવાનની સાથે દેશભક્તિના રંગમાં રંગાયેલી જોવા મળી હતી.