પુરા દશ દિવસ સુધી ચાલેલા ગણેશ ઉત્સવનો આજે અંતિમ દિવસ હોય છે, ભક્તોએ બાપ્પાને વાજતે ગાજતે વિદાય આપી છે.
મહારાષ્ટ્રમાં ગણપતિ વિસર્જનમાં ભારે ભીડ ઉમટી
વાજતે ગાજતે બાપ્પાના વિસર્જનમાં જૂલૂસ નિકળ્યા
મોટી સંખ્યામાં લોકોએ બાપ્પાના વિદાય આપી
આજે ચતુર્દશી છે. 31 ઓગસ્ટથી વિરાજમાન ગણેશજીના વિદાયનો આજે દિવસ છે. આ 10 દિવસમાં તહેવારની રોનક દરેક રાજ્ય, શહેર અને ઘરે ઘરે જોવા મળી હતી. બાપ્પા આવ્યા બાદથી બાળકોથી લઈને મોટેરા સુધી સૌ કોઈમાં ખુશીની લાગણી જોવા મળી હતી. રોજ તેમની પૂજા, પ્રસાદ વિતરણ કરવો, પંડાલોમાં અલગ અલગ કાર્યક્રમો કરવા, પણ જેવો બાપ્પાનો વિદાયનો દિવસ આવે છે, એક ઉદાસીના માહોલ છવાઈ જાય છે અને બાપ્પા આવતા વર્ષે ફરી રંગેચંગે પધારે તેવી લોકો કામના કરતા હોય છે.
આમ તો દરેક રાજ્યમાં આ ઉત્સવ ધૂમધામથી મનાવાય છે. પણ મહારાષ્ટ્રમાં આ પર્વનુ કંઈક અલગ જ મહત્વ છે. અહી બાપ્પા આવે ત્યારથી દરેક શહેર અને દરેક ઘરમાં ખુશી તો હોય જ છે, સાથે જ સમગ્ર રાજ્યમાં ભારે ભીડ પણ ઉમટે છે. ગણેજીની મોટી મોટી મૂર્તિઓ બિરાજે છે. જૂલૂસ નિકળે છે. આ ધૂમધામ ભર્યો માહોલ બાપ્પાનું આગમન થાય ત્યારથી લઈને વિસર્જન સુધી ચાલતું રહે છે.
મહારાષ્ટ્રમાં મુંબઈ શહેર પણ હાલ ગણેશ ઉત્સવના રંગે રંગાયેલું જોવા મળે છે. તો વળી શહેર પોલીસમાં શુક્રવારના રોજ આ ભવ્ય ગણેશોત્સવને માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. જેના માટે સુરક્ષાને ધ્યાને રાખતા 40,000 પોલીસ કર્મી તૈનાત કરવામાં આવ્યા છે. તેની સાથે જ શહેરના મોટા પંડાલ અને મહત્વની જગ્યા પર સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. આ અવસરે પોલીસ જવાનોની રજા રદ કરી દેવામાં આવી હતી.
મુંબઈ ચા રાજા ગણેશ ગલીમાં ગણપતિ પ્રતિમા વિસર્જનની રોનક જોવા જેવી હતી. અહીં હજારોની સંખ્યામાં ભક્તોએ પ્રતિમા વિસર્જન પહેલા વિશાળ જૂલૂસ કાઢ્યા હતા. લોકો વાજતે ગાજતે વિદાય આપી રહ્યા છે.