ગણેશ ચતુર્થી આવે એટલે સમગ્ર ભારતમાં ઉત્સાહ જોવા મળતો હોય છે. મહારાષ્ટ્રથી લઇને કન્યાકુમારી સુધી લાલ બંગડી પહેરીને આરતી કરતી મહિલાઓ તમને જોવા મળશે પરંતુ જો આવા દ્રશ્યો પાકિસ્તાનમાં જોવા મળે તો તમને પણ નવાઇ લગાશે. કરાચીના મહોમ્મદ અલી ઝીણા માર્ગ પર 800થી વધારે મહારાષ્ટ્રીયન પરિવાર ગણેશોત્સવની ઉજવણી કરે છે.
પાકિસ્તાનમાં ઉજવાય છે ગણેશ ચતુર્થી
76 વર્ષથી ઉજવાય છે ગણેશોત્સવ
કરાચીમાં ઉજવાય છે ધામધૂમથી
કરાચી સોશિયલ એક્ટિવિસ્ટ વિશાલ રાજપૂત કહે છે કે, આ ઉત્સવમાં સામેલ થવાથી તે વાતનો ભરોસો થઇ જાય છે કે બાપા અમને સુરક્ષિત રાખશે. સંપૂર્ણ પાકિસ્તાનમાં કરાચીમાં સૌથી વધારે ગણેશભક્તો એકઠા થાય છે. પેશાવર અને પંજાબથી પણ વધુ લોકો કરાચીમાં આવે છે. આ વખતે કોરોનાને કારણે વધુ સાવચેતી રાખવામાં આવી હતી. સેનીટાઇઝરની સાથે સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવ્યું હતું.
કરાચીમાં મંદિરો તોડવાની ઘટના અંગે વિશાલે કહ્યું કે, ના તો કોઇ મંદિર તોડાયુ ના કોઇ ધાર્મિક સ્વતંત્રતા પર રોક લગાવવામા આવી છે. દરેક જગ્યાએ ધર્મને સરખુ પ્રાધાન્ય આપવામાં આવે છે. ગણેશજીની ભક્તિ જે રીતે ભારતમાં થાય છે તે જ રીતે પાકિસ્તાનમાં જ થાય છે.
રાજેશ નાઇક બનાવે છે મૂર્તિ
કરાચીમાં ગણેશોત્સવની પરંપરા શરૂ કરનાર કૃષ્ણા નાઇકના પરિવારજનો જ મૂર્તિઓ તૈયાર કરે છે અને દરેક ભક્તને ગણપતિની પ્રતિમા પૂરી પાડે છે. દુબઇથી પણ મોટા પાયે મૂર્તિઓ મંગાવવામાં આવે છે.