ભાદરવો મહિનો ભગવાન કૃષ્ણ અને ગણેશને સમર્પિત છે. આ મહિનામાં બંનેની જન્મજયંતિ આવે છે. 31 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર પણ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આવો જાણીએ આ દિવસે ગણેશજીને પ્રસન્ન કરવાના ઉપાયો.
31 તારીખે છે ગણેશ ચતુર્થી
આ રીતે પુજામાં સામેલ કરો લાલ સિંદૂર
ભગવાન ગણેશ પુરી કરશે દરેક મનોકામના
ગણેશજીને બુદ્ધિ, સુખ અને સમૃદ્ધિ આપનાર કહેવામાં આવે છે. 31 ઓગસ્ટથી 10 દિવસીય ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. આ દિવસે લોકો ધામધૂમથી ઘરે બાપ્પાની સ્થાપના કરે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર આ દિવસે સુખ અને સમૃદ્ધિના દાતા ભગવાન ગણેશનો જન્મ થયો હતો. કહેવાય છે કે જ્યાં ભગવાન ગણેશનો વાસ હોય છે ત્યાં રિદ્ધિ-સિદ્ધિ, શુભ-લાભનો પણ વાસ હોય છે.
ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. તેમની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને કોઈપણ અવરોધ વિના તમામ કાર્યો પૂર્ણ થાય છે. ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાને પ્રસન્ન કરવા માટે ભક્તો તેમને પ્રિય વસ્તુઓ અર્પણ કરે છે. એ જ રીતે, લાલ સિંદૂર પણ ભગવાન ગણેશને ખૂબ પ્રિય છે. ગણેશ ચતુર્થીના અવસર પર જાણો શા માટે કપાળ પર લાલ સિંદૂર લગાવવામાં આવે છે, તેના ફાયદા અને નિયમો.
ગણેશજીને સિંદૂર કેમ પ્રિય છે?
પૌરાણિક કથાઓ અનુસાર, ગણેશજીએ બાળપણમાં સિંદૂર નામના રાક્ષસનો વધ કરીને પોતાના શરીર પર લોહી ચઢાવ્યું હતું. ત્યારથી કહેવાય છે કે લાલ સિંદૂર ગણેશજીને ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને સ્નાન કરાવ્યા પછી તેમને લાલ સિંદૂર ચઢાવવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે.
સિંદૂર અર્પણ કરવાના ફાયદા
એવું કહેવાય છે કે જો ભગવાન ગણેશને લાલ સિંદૂર ચઢાવવામાં આવે તો વ્યક્તિને શાંતિ અને સમૃદ્ધિ મળે છે. સાથે જ સિંદૂર ચઢાવવાથી વ્યક્તિના જલ્દી લગ્ન થઈ જાય છે. સંતાનની પ્રાપ્તિ થાય છે. આ સાથે બુદ્ધિશાળી અને સ્વસ્થ બાળકોની પ્રાપ્તિ માટે ગણપતિને સિંદૂર પણ ચઢાવવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે જો ઘરની બહાર નીકળતી વખતે ભગવાન ગણેશને સિંદૂર ચઢાવવામાં આવે તો સારા સમાચારની પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નોકરી કે ઈન્ટરવ્યુ માટે જતી વખતે પણ ગણેશજીને સિંદૂર જ ચઢાવવું જોઈએ.
ગણેશજીને આ રીતે ચઢાવો સિંદૂર
સૌ પ્રથમ સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરો. આ પછી ગણેશજીની પૂજા કરો. ઉત્તર અથવા ઈશાન કોણની તરફ મુખ કરીને બેસો. ગણેશજીની મૂર્તિ સામે ગાયના ઘીનો દીવો કરો. લાલ ફૂલ અને ધરો અર્પણ કરો. ત્યારબાદ મંત્રનો જાપ કરતી વખતે કપાળ પર ગણેશજીને લાલ રંગનું સિંદૂર લગાવો. આ પછી ભગવાન ગણેશને મોદક અથવા તેમની પ્રિય વસ્તુ અર્પણ કરો. આ રીતે ગણેશજીની પૂજા સંપન્ન કરો.