આજથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે તમારે શુભ મૂહૂર્ત જાણી લેવું જરૂરી છે. સાથે આજે 59 વર્ષ બાદ દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે.
ગણેશ ચતુર્થી તિથિ ચિત્રા નક્ષત્રમાં ઉજવાશે
ગણેશ ચતુર્થી 2021 પર ગ્રહોનો શુભ સંયોગ
આજે બની રહ્યો છે વધુ એક સંયોગ
ગણેશ ચતુર્થી તિથિ ચિત્રા નક્ષત્રમાં ઉજવાશે
ગણેશોત્સવનો તહેવાર ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થીએ શરૂ થઈને અનંત ચતુર્દશીએ વિસર્જન સુધી ચાલે છે. પંચાગના અનુસાર આ વખતે ગણેશ ચતુર્થી તિથિ ચિત્રા નક્ષત્રમાં ઉજવાશે.
ગણેશ ચતુર્થી 2021 પર ગ્રહોનો શુભ સંયોગ
હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારની પૂજા, અનુષ્ઠાન અને તહેવારમાં સૌ પહેલા ભગવાન ગણેશની પૂજા અને આરાધના કરવામાં આવે છે. શાસ્ત્રોમાં ભગવાન ગણેશને વિદ્યા, બુદ્ધિ, મંગલકારી, વિધ્નહર્તા, સિદ્ધિ, સુખ અને સમૃદ્ધિ આપનારા માનવામાં આવ્યા છે. આ કારણે ગણેશ ચતુર્થી મંગલકારી બની રહી છે.
10 સપ્ટેમ્બરે શરૂ થનારી ગણેશ ચતુર્થી મહિલાઓ માટે રહેશે શુભદાયી
આજથી બુદ્ધિ અને વાણીના ગ્રહ બુધ અને સાહસ અને પરાક્રમના કારક માનાતા મંગળ ગ્રહ કન્યા રાશિમાં આવશે. આ સિવાય શુક્ર અને ચંદ્રમાની તુલા રાશિમાં પ્રવેશ થશે. જેનાથી મહિલાઓને મોટો ફાયદો થઈ શકે છે.
આજે બની રહ્યો છે વધુ એક સંયોગ
આ દિવસે સૂર્ય પોતાની રાશિ એટલે કે સિંહમાં, બુધ પોતાની રાશિ કન્યામાં, શનિ પોતાની રાશિ મકરમાં ગોચર કરશે અને શુક્ર પોતાની રાશિ તુલામાં રહેશે. આ 4 ગ્રહોના એક સાથે સ્વયંની રાશિમાં રહેવું એ પણ ખાસ સંયોગ છે. આ સિવાય 2 મોટા ગ્રહ શનિ અને ગુરુનું પણ એકસાથે વક્રી થવું શુભ સંયોગનો સંકેત છે.
શું કહે છે જ્યોતિષ
જ્યોતિષના આધારે 59 વર્ષ બાદ આ રીતનો સંયોગ બની રહ્યો છે જ્યારે 4 ગ્રહો પોતાની રાશિમાં રહેશે અને ચંદ્ર અને શુક્રનો તુલા રાશિમાં પ્રવેશ થશે. આ રીતના શુભ યોગમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
જાણો ગણેશ પૂજનના શુભમૂહૂર્ત
બપોરે - 11.02 મિનિટથી લઈને 01.32 મિનિટ સુધી
સમય - 2 કલાક 29 મિનિટ