દરેક તહેવારની ઉજવણી અંબાણી પરિવારમાં ધામધૂમથી થાય છે. પછી તે દિવાળી હોય કે પછી કોઇ જન્મોત્સવ.
કપડાંથી લઇને જ્વેલરી અને ઘરની સજાવટથી જોડાયેલી તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો બાકી છે, એવાં અંબાણી પરિવારે આ તહેવાર માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રનુસાર, ગણેશ ચતુર્થી માટે નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ આમંત્રણ આપવાનું શરૂ કરી દીધુ છે.
સોશ્યલ મીડિયા પર આમંત્રણ પત્રિકાની ફોટો વાયરલ થઇ રહી છે. જેમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી સિવાય ઇશા-આનંદ, આકાશ-શ્લોકા અને અનંત અંબાણીનું નામ જોવા મળે છે. કાર્ડમાં આપેલી માહિતી અનુસાર, 2 સપ્ટેમ્બર ગણેશોત્સવ રાત્રે 8 વાગે શરૂ થશે, જે પછી 9 લાગે આરતી અને ડિનરનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે ડ્રેસ કોડમાં ભારતીય પરિધાન હોવા જોઇએ.
કાર્ડ ખોલતા જ ગણેશજીની ફોટો જોવા મળે છે. કાર્ડ લીલા અને પીળા રંગનું છે. અંબાણી પરિવાર માટે આ ગણેશોત્સવ ખાસ છે. ઇશા-આનંદ અને શ્લોકા-આકાશના લગ્ન પછી આ પરિવાર માટે મોટો પહેલો પ્રંસગ છે. અંબાણી પરિવારની વહુ તરીકે શ્લોકાનો આ પહેલો ગણેશોત્સવ છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા નીતા અંબાણી એક આર્ટ એક્સિબિઝનમાં પહોંચ્યા હતા જ્યાં તેમની મોટી વહુ શ્લોકા મહેતા અને નાના દિકરાની કથિત ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળ્યા હતા. આ સાસુ-વહુની ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. વાયરલ થયેલા ફોટોમાં નીતા અંબાણી, શ્લોકા અને રાધિકા એકદમ સ્ટાઇલિશ લાગી રહ્યા હતા.