સમગ્ર દેશમાં ધામ ધૂમ પૂર્વક ગણેશ મહોત્વનો પ્રારંભ થયો છે. ચારે બાજુથી એક અવાજ ગૂંજી રહ્યો છે. ગણપતિ બાપા મોરૈયા.દેશભરના લોકો સાર્વજનિક જગ્યાએ કે પછી પોતાના ઘરમાં દૂદાળા દેવની સ્થાપના કરી તેમની ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરે છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરની માતૃશ્રી કુંવરબા શાળામાં ભણતા 100થી વધારે વિદ્યાર્થી માટીમાંથી બનાવેલા ગણેશની પોતાના ઘરે સ્થાપના કરી છે. જોઈએ આ વિશેષ અહેવાલ.
દેશમાં રંગે ચંગે ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ઉત્સાહ અને ઉંમગ સાથે લોકોએ પોતાના ઘરે દુંદાળા દેવની સ્થાપના કરી છે. તો આગલા દેશભરના બજારોમાં મોટી ભીડ જોવા મળી હતી.એક તહેવાર હોય તે રીતે લોકોએ ગણપતિ બાપાને બધાવાવવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.બજારોમાં માટી અને પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવેલી અનેક મૂર્તિઓ જોવા મળતી હતી.
પરંતુ આ વખતે માટીના ગણેશની મૂર્તિઓનું વધારે વેચાણ જોવા મળ્યું. કારણ કે PPPની મૂર્તિઓથી પર્યાવરણને નુક્સાન થાય છે. તે પાણીમાં ઓગળતી નથી.જ્યારે માટીની મૂર્તિઓ પાણીમાં ભળી જાય છે. બનાસકાંઠાના પાલનપુરમાં કુંવરબા શાળાના 200થી વધુ વિદ્યાર્થીઓએ માટીના ગણેશ બનાવવાની એક સ્પર્ધા યોજી હતી. જેમાં 100થી વધુ મૂર્તિઓ તૈયાર કરાઈ હતી.
વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી આ મૂર્તિઓ તેઓ પોતાના ઘરે લઈ ગયા હતા અને પોતાના નિવાસસ્થાને તેનું સ્થાપન કર્યું હતું.તો બીજી ખાસ વસ્તુ એ છે કે વિદ્યાર્થીઓ ગણપતિની આ મૂર્તિઓનું વિસર્જન તુલસીના ક્યારામાં કરવાના છે.જે પર્યાવરણ માટે ખુબ જ ફાયદાકારક છે. જો તમામ લોકો આવો અભિગમ દાખવે તો પર્યાવરણને મોટો ફાયદો થાય.
વિદ્યાર્થીઓના આ નવા અભિગમની તમામ લોકો પ્રશંસા કરી રહ્યા છે. ગણપતિ મહોત્સવ મૂળ તો મહારાષ્ટ્રનો તહેવાર છે. પરંતુ આજે એવું કોઈ રાજ્ય કે શહેર નહીં હોય જ્યાં ગણપતિ મહોત્સવ થતો નહીં હોય. દેશભરમાં ગણપતિ મહોત્સવ રંગે ચંગે ઉજવાય છે.
પહેલા PPPની ગણપતિ મૂર્તિઓ વધારે વેચાતી હતી. અત્યારે પણ વેચાય જ છે. પરંતુ હવે લોકો થોડા બદલાયા છેઅને માટીની મૂર્તિઓ તરફ વળ્યા છે.પાલનપુરની શાળાના વિદ્યાર્થીઓએ માટીના ગણેશ બનાવી બીજા લોકોમાં એક પ્રેરણાનું કામ કર્યું છે.