દેશભરમાં ગણેશ મહોત્સવની ધૂમ છે. અને ધૂમમાં તમે વિવિધ અનેક ગણેશ જોયા હશે. પરંતુ તમે ક્યારે ગોબરના ગણપતિ જોયા છે ? જો ન જોયા હોય તો અમે આપને એક એવા ઈકોફ્રેન્ડલી ગણપતિ બતાવીશું. જે ગાયના છાણ અને મૂત્રમાં તૈયાર કરવામાં આવ્યા છે. જે પર્યાવરણ માટે અનેક રીતે ફાયદાકારક છે.
આ ગણેશ તમને અનોખા લાગતા હશે. તમને વિચાર આવશે કે આ ગણેશ મૂર્તિ તો બજારમાં મળે છે તેવી જ મૂર્તિ લાગતી હશે. તમને થશે કે આ મૂર્તિ પણ પ્લાસ્ટર ઓફ પેરિસની હશે. પરંતુ આ મૂર્તિ ન તો પ્લાસ્ટર ઓફ પેરિસની છે. અને ન તો બજારમાં મળે છે તેવી મૂર્તિ. આ મૂર્તિ તો ગાયના ગોબરમાંથી તૈયાર કરવામાં આવી છે.
રાજકોટમાં રહેતા આરતી પંડિતે એક નવો જ વિચાર કરી માત્ર ગોબરમાંથી જ આ મૂર્તિ તૈયાર કરી છે. ગાયના ગોબર એ અનેક ઔશધિયોમાં કામ આવે છે તેના અનેક ફાયદા છે. પરંતુ તેની લોકોને ઓછી ખબર હોય છે. આરતી પંડ્યાનું કહેવું છે કે મારા વતનમાં અમારે તબેલો છે. તેથી ગૌમુત્ર અને ગોબરાના કેટલા ફાયદા છે તેની મને પહેલાથી જ જાણ છે. મને વિચાર આવ્યો કે હું ગોબરમાંથી ગણપતિ બનાવું. મેં ગૌશાળાઓનો સંપર્ક કરી ગોબર એકઠું કરી તેને મૂર્તિના બીબામાં ઢાળી એક સુંદર મૂર્તિ તૈયાર કરી છે.
લોકોને ખબર નથી હોતી કે ગાયના ગોબરમાં કેટલી તાકાત છે. ગાયના ગોબરમાં અનેક તત્વો છૂપાયેલા છે. તો આરતી પંડિત પોતે પણ એક થેરાપીસ્ટ છે. તેથી પોતાના દર્દીઓને દવા લેવાની સલાહ નથી આપતા પરંતુ કુદરતી રીતે મળતી અનેક ઔષધિયો લેવાની જ સલાહ આપે છે. ગોબરમાંથી આ મૂર્તિ બનાવતા 10 દિવસ જેટલો સમય લાગે છે. કારણ કે મૂર્તિ બનાવી દીધા બાદ તેને સુકાતા સમય લાગે છે. અને જ્યારે સુકાય ત્યારે તિરાડો પણ પડે છે. અને તે બધુ ટચિંગ કરતા 10 દિવસનો સમય લાગે છે.
ગોબરમાંથી વિવિધ વસ્તુ બનાવા પાછળ ધણા ફાયદાઓ છે. તમે તોરણ કે મુર્તિ બનાવ્યા પછી જ્યારે એમ લાગે નવી વસ્તુ બનાવી છે તો આ વસ્તુઓનું રિસાઇકલીંગ થઇ શકે છે. ગણપતિ ઉત્સવમા હજારો-લાખો મુર્તિઓ નદી કે તળાવના કાંઠે બિસ્માર હાલતમાં જોવા મળે છે.
જો તે મૂર્તિઓને આ રીતે ગોબરમાંથી તૈયાર કરવામાં આવી હોય અને તેનું કુંડામાં જ વિસર્જન કરી દેવામાં આવે તો તેનુ ખાત્તર બની જાય છે. અને ખાતરનો ઉપયોગ કોઈ વૃક્ષના ઉછેર માટે કરી શકાય છે. તમામ લોકો ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ તરફ વળે તો આસ્થાની સાથે પર્યાવરણની પણ રક્ષા થાય છે.