આરોપીઓ 28 સપ્ટેમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર, મોટા ખુલાસા થાય તેવી શક્યતા
પ્રવીણ માણિયાની હત્યા મામલે મોટો ખુલાસો
આરોપીઓ 28 સપ્ટેમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર
LCBએ ગઈકાલે કરી હતી જયદીપસિંહ-અને તરૂણસિંહની ધરપકડ
ગાંધીનગરમા કોગ્રેસના અગ્રણી પ્રવિણ માણીયાની હત્યા કરનાર મુખ્ય સુત્રધાર સહિત બે આરોપીની ગાંધીનગર LCBએ ધરપકડ કરી છે. દારૂની મહેફીલ માળીને હત્યાકાંડ પાછળનુ રહસ્ય જાણવા માટે પોલીસે આરોપીમા રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે.
17 સપ્ટેમ્બરે પ્રવીણ માણિયાની થઈ હતી હત્યા
જયદીપસિંહ ગોહિલ અને તરુણસિંહ ઝાલાએ કોગ્રેસના અગ્રણી પ્રવિણ માણીયાને ગોળી મારીને હત્યા કરી દીધી હતી.. આ ચકચાર હત્યા કેસ બાદ આ બન્ને આરોપીઓ ફરાર હતા. ગાંધીનગર LCB એ બાતમીના આધારે હત્યાના મુખ્ય સુત્રધાર જયદિપસિંહ ગોહીલને મહારાષ્ટ્રના લોનાવાલાના રિસોર્ટથી ઝડપ્યો. જયારે તરૂણસિંહને અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી ધરપકડ કરી છે.. ઘટનાની વાત કરીએ તો ગાંધીનગરમા 17 સપ્ટેમ્બરના દિવસે સામ્રાજય ફાર્મ હાઉસમા રેતીની લીઝનાં હિસાબ કરવાની સાથો સાથ દારૂની મહેફિલ પણ ગોઠવાઈ હતી. જેમાં કોગ્રેસના અગ્રણી પ્રવિણ માણીયાની સાથે આરોપી જયદીપસિંહ ગોહિલ, તરુણસિંહ ઝાલા, જયરાજસિંહ રાણા, ભાવનગર જેસરનાં હરપાલસિંહ ગોહિલ, જનક વિછીયા, અમદાવાદનાં સંતોષ ભરવાડ તેમજ મહેસાણા કડી તાલુકાના જોધપુર ગામના મોહિત રબારી આવ્યા હતા. દારૂની મહેફીલ દરમ્યાન રેતીના હિસાબની ચર્ચામા તકરાર થતા જયદિપસિંહ અને તરૂણે તલવાર અને ફાયરિંગ કરીને પ્રવિણ માણીયાની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા..
ક્યાંથી ઝડપાયા આરોપીઑ
તપાસમા સામે આવ્યુ કે હત્યા કર્યા બાદ આરોપી 44 વર્ષીય જયદીપસિંહ ઉર્ફે જયેન્દ્રસિંહ છનુભા ગોહિલ મહારાષ્ટ્રના લોનાવાલાની રેલીસન્સ રીસોર્ટમા 21 વર્ષીય પ્રેમિકા સાથે છુપાયો હતો.. પોલીસ જયારે તેને પકડવા પહોચી ત્યારે તે કઢંગી હાલતમા મળી આવ્યો હતો.. એટલુ જ નહિ જયદિપસિંહની પ્રેમિકા ગર્ભવતી હોવાનું પણ બહાર આવ્યું છે. આરોપીના પરિવારમાં પત્ની તેમજ ત્રણ સંતાનો પણ છે..જયદીપસિંહ સિવિલ એન્જિનિયર છે. જે કન્સ્ટ્રક્શન અને ટ્રાવેલ્સનો કરોડો રૂપિયાનો કારોબાર ચલાવે છે. જેનો ગુજરાત સહિત મહારાષ્ટ્ર સુધી તેનો કન્સ્ટ્રક્શનનો ધંધો વિકસેલો છે. જે વૈભવી લાઈફ સ્ટાઈલ જીવવા વાળો છે. અને મોંઘીદાટ ગાડીઓનો કાફલો પણ તેની પાસે છે. ગણેશ ટ્રાવેલ્સમાં તેની માલીકીની 200 લકઝરી બસો કાર્યરત છે. માથાભારે શખ્સ તરીકેની ઓળખ ધરાવતો જયદીપસિંહને રાજકારણીઓ સાથે પણ અંગત ઘરોબો છે. જેનાં માટે પણ પોલીસ પણ રાજકીય દબાણ આવ્યું હતું. એક અંદાજ મુજબ જયદીપસિંહ 100થી વધુ કરોડની સંપત્તિનો આસામી હોવાનું પણ જાણવા મળ્યું છે. જયારે બીજો આરોપી તરુણસિંહ ઝાલા જમીન લે વેચ નો ધંધો કરે છે. જેને એક હોટલ પણ છે. તેમજ તેની પાસે 40 વીઘા જેટલી જમીન છે. તે સિવાય વ્યાજનો પણ ધંધો કરે છે. હત્યાને અંજામ આપ્યા પછી તરુણસિંહ અમદાવાદ પુર્વ વિસ્તારમાં છુપાઈને સ્થળ બદલતો રહેતો હતો.આરોપીના રિમાન્ડ મંજૂર થાય બાદ પોલીસ પૂછ[પરછમાં મોટા ખુલાસા થાય તેવુ શક્યતાઑ સેવાઇ રહી છે.
આરોપી જયદિપસિંહ કોણ છે?
જયદિપસિંહ પર પ્રવીણ માણીયાની હત્યાનો આરોપ છે
જયદિપસિંહ સિવિલ એન્જિનિયર છે
કન્સ્ટ્રકશન અને ટ્રાવેલ્સનો કરોડો રૂપિયાનો કારોબાર છે