ગાંધીનગર: કર્ણાટક ચૂંટણીના પરિણામ જાહેર થયા છે અને ભાજપનું કમળ ખીલ્યું છે. ત્યારે કર્ણાટકમાં જીત બદલ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ પરિષદ યોજી હતી. વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કર્ણાટકની જીતને 2019ની સેમી ફાઈનલ ગણાવી હતી. તો કોગ્રેસ પાસે માત્ર હવે 3 રાજ્ય બચ્યા હોવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના `કોંગ્રેસ મુક્ત ભારત' નારાને મજબૂત બનાવવાની વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે આજે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું પરિણામ છે ત્યારે ચૂંટણી જાહેર થઇ ત્યારથી ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ખાસ ખેંચતાણ જામી પડી હતી અને તમામ પક્ષોએ પોતાના ઉમેદવાર જીતે તેવો પ્રયાસ પ્રચારમાં કર્યો હતો તથા કર્ણાટકની પ્રજા માટે લોભામણી જાહેરાતો મારો પણ કરેલ સરવાળે ચૂંટણી આવી અને લોકોએ સાંજે 5 વાગ્યા સુધીમાં 65% જેટલું મતદાન કરેલ તથા જે સાંજે 6 વાગ્યા સુધી ચાલેલ અને સાંજે મતદાનની ટકાવારી 70% થવા પામી હતી.
આજરોજ વહેલી સવારથી જ કડક બંદોબસ્ત વચ્ચે મતગણતરીનો પ્રારંભ થયો હતો અને જેમાં ભાજપે સાંજે 5 વાગ્યા સુધીમાં 104થી વધુ બેઠક પર પોતાનું ખાતું ખોલાવેલ તથા કોંગ્રેસે 77થી વધુ બેઠક પર ખાતુ ખોલાવેલ.જો કે આ સમય દરમિયાન કોંગ્રેસે JDS સાથે મળીને ગઠબંધન કરવાની જાહેરાત પણ કરી હતી.
આપને જણાવી દઇએ કે કર્ણાટકમાં પણ ભગવો લહેરાતા આજરોજ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક પ્રેસ પરિષદ યોજી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કર્ણાટકની જીતને 2019ની સેમી ફાઈનલ ગણાવી હતી. તો કોગ્રેસ પાસે માત્ર હવે 3 રાજ્ય બચ્યા હોવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના `કોંગ્રેસ મુક્ત ભારત' નારાને મજબૂત બનાવવાની વાત કરી હતી.