પ્રેમ..શબ્દમાં જ ઘણું બધું સમજાઈ જાય છે. પ્રેમના અનેક પ્રકાર છે. પરંતુ ગાયમાતા પ્રત્યેના આ પ્રેમને જોઈને તમને અજીબ લાગશે. અજીબ એટલા માટે કે, એક કરોડપતિ વ્યક્તિ પોતાનો કરોડોનો ધંધો છોડીને નાની વાછરડીઓ વચ્ચે જીવન વિતાવે છે.
આ કરોડપતિ ગુજરાતીની અનોખી ગૌસેવા
કરોડોના બંગલામાં રાખે છે વાછરડીઓ
આ ગૌ પ્રેમી વ્યક્તિ એટલે કે, અમદાવાદ નજીક મણીપુરવડ પાસે રહેતા વિજયભાઈ પરસણા. જેઓની પાસે પૈસાની કાોઈ કમી નથી. પરંતુ તેમને ગૌમાતા પર અતૂટ વિશ્વાસ છે અને આજ કારણે તેઓ ગાયોની વચ્ચે રહેવાનું પસંદ કરે છે. તેમને નાના બાળકની જેમ વહાલ કરવાનું પસંદ છે.
ગાયોને તેમને શણગારવી. તેમને નવડાવવી, તેમની સાથે રમત રમવી અને પોતાની કારમાં તેને ફરવા લઈ જવાનું પસંદ છે. આ વ્યક્તિની આ કામગીરીને તમે શોખ કહો... ગૌપ્રેમ કહો કાંઈપણ.. પરંતુ તેમને આ કાર્ય કરવાથી શું પ્રાપ્ત થાય છે.
5 હજાર વારના બંગલામાં એકલા જ રહે
સૌથી મહત્વની વાત તો એ છે કે, વિજયભાઈ ગાયોને સાચવવા માટે 5 હજાર વારના બંગલામાં એકલા જ રહે છે. વિજયભાઈ ગાયને ભગવાન માને છે.. એટલું જ નહીં તેઓ રોજ ગૌમુત્રનું સેવન કરે છે અને ગાયના છાણથી જ સ્નાન પણ કરે છે. તેમનું કહેવું છે કો,લોકાો પોતાના સ્વાર્થ માટે ગાયને રાખે છે અને સ્વાર્થ પૂરો થતા રસ્તા પર રડતી મુકી દે છે. જે હું જોઈ શક્તો નહોતો. તેથી મને આ સેવા યજ્ઞ શરૂ કરવાનું મન થયું. આ યજ્ઞ એટલા માટે કો, લોકાો આ સેવાભાવથી પ્રભાવિત થાય અને ગાય પ્રત્યે સંવેદના કોળવાય.
11 જેટલી ગાયોને ત્રણ પેઢીથી સાચવી રહ્યા
મહત્વનું છે કો, વિજયભાઈએ અગાઉ ગાયના ધામધૂમ પૂર્વક લગ્ન પણ કરાવ્યા હતા. અને આજે તેઓ 11 જેટલી ગાયોને ત્રણ પેઢીથી સાચવી રહ્યા છે. જોકો તેમનો આ ગૌ પ્રેમ લોકાોના દીલને સ્પર્શનારો છે. ત્યારે આશા રાખીએ કો, લોકો પણ ગૌમાતાને રડતી ન મૂકીને તેમની આ રીતે સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરશે.