ગુજરાતમાં હાલ ચાલી રહેલા કોરોના વાયરસની મહામારી વચ્ચે આજથી ગાંધીનગરમાં વિધાનસભાના 5 દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. સોમવારના પ્રથમ દિવસે વિધાનસભામાં કુલ 2 બેઠક થશે. જો કે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં સરકારને ખેડૂત સહિત અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. જો કે હાલમાં કોરોનાના કહેર વચ્ચે તમામ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
આજથી વિધાનસભાના 5 દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ
રાજકીય મહાનુભાવોને શોકાંજલી પ્રસ્તાવ રજૂ થશે
MLAના પગારમાં કાપ ન મૂકવા ખેડાવાલા કરશે રજૂઆત
આજથી શરૂ થઇ રહેલા વિધાનસભાના સત્રમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને કોરોના વૉરિયર્સને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. રાજકીય મહાનુભાવનો શોકાંજલી પ્રસ્તાવ રજૂ થશે.
કોંગ્રેસ દ્વારા વિધાનસભા સત્રમાં ધારાસભ્યના પગારમાં કાપ ન મૂકવા અંગે ઇમરાન ખેડાવાલા રજૂઆત કરશે. વિધાનસભા સત્રમાં GSHEB શિક્ષણ સુધારા વિધેયક રજૂ થશે. ગુજરાત માલ-સેવા વેટ સુધારક વિધેયક પસાર કરાશે.
સોમવારથી શરૂ થઇ રહેલા વિધાનસભાના ચોમાસુ સત્રમાં કોવિડ-19 નિયમો હેઠળ બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તમામ ધારાસભ્યો સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસશે. 92 ધારાસભ્યો માટે ગૃહમાં બેઠક વ્યવસ્થા કરાઇ છે જ્યારે અન્ય 79 ધારાસભ્યો માટે પ્રેક્ષક ગેલેરીમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાના 5 દિવસના ચોમાસુ સત્રમાં 6 બેઠક યોજાશે. 5 દિવસમાં અંદાજે 21 જેટલા વિધેયક પસાર કરવામાં આવશે. સોમવારની બીજી બેઠકમાં 2 કલાક કોરોના વૉરિયર્સ માટે ફાળવામાં આવી છે.