કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી વાયબ્રંટ ગુજરાતમાં ગેરહાજર રહ્યાં. રોડ અને પોર્ટ સેક્ટરનાં સેમિનારમાં તેઓ હાજર રહેવાનાં હતાં. ત્યારે મહત્વનું છે કે તેઓ ગેરહાજર રહેતા એક રીતે ચર્ચાનો માહોલ પણ જામ્યો હતો.
આ સાથે તેઓની ગેરહાજરી પણ લોકોને આંખે ઉડીને વળગી હતી. એટલાં માટે કે આ સમિટમાં ખૂબ મોટાં-મોટાં VVIP લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારે સ્વભાવિક છે કે તેઓ કેન્દ્રીય મંત્રી હોવાંથી નિતિન ગડકરીની ગેરહાજરી લોકોની નજરે પણ ચડી હતી.
નિતિન ગડકરી છેલ્લાં કેટલાંય સમયથી નારાજ હોવાનું માનવામાં આવી રહેલ છે અને સાથે સાથે તેઓની તબિયત પણ નાદુરસ્ત છે. તો બની શકે છે કે નિતિન ગડકરીનાં ગેરહાજર હોવા પાછળનું કારણ આ બંનેમાંથી પણ કોઇ એક હોઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ પણ ડિફેન્સનાં કાર્યક્રમમાં ગેરહાજર રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. આજે પીએમ મોદીનાં પ્રવાસનો બીજો દિવસ છે. બીજા દિવસે વહેલી સવારે પીએમ મોદીએ મહાત્મા મંદિરની મુલાકાત લીધી. પીએમ મોદી અને વિદેશથી આવેલાં તમામ મહાનુભાવોનું ભારતીય પરંપરાથી સ્વાગત કરવામાં આવ્યું.
પીએમ મોદીએ વિવિધ દેશોનાં વડાઓ સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ પીએમ મોદી વાયબ્રંટ સમિટમાં ભાગ લેવાં માટે પહોંચ્યાં હતાં. વાયબ્રંટ સમિટમાં ભાગ લેવાં માટે મોટી સંખ્યામાં વિદેશી ડેલિગેશન ગાંધીનગરમાં આવ્યાં છે. વાયબ્રંટમાં ભાગ લેવા માટે મુકેશ અંબાણી પરિમલ નથવાણી કુમાર મંગલમ પણ બિરલા પહોંચ્યાં હતાં. વિદેશી ઉદ્યોગપતિઓને મુખ્ય હોલમાં સ્થાન આપવામાં આવ્યું છે.
મહત્વનું છે કે ગાંધીનગરમાં 18થી 20 જાન્યુઆરી સુધી વાયબ્રંટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પીએમ મોદીની ઉપસ્થિતિમાં વાયબ્રંટ સમિટનો પ્રારંભ થયો છે. આ વાયબ્રંટ સમિટમાં દેશનાં મોટા ઉદ્યોગપતિઓ ભાગ લેવાં માટે પહોંચ્યાં હતાં.
આ સમિટમાં ભાગ લેવા માટે મુકેશ અંબાણી ગૌતમ અદાણી કુંમાર મંગલમ બિરલા પંકજ પટેલ તુલસી તંતી સુધીર મહેતા કરસન પટેલ પણ પહોંચ્યાં હતાં. આ સાથે જ મોટી સંખ્યામાં વિદેશી ડેલિગેશન પણ ભાગ લેવાં માટે પહોંચ્યાં હતાં. વિદેશી ઉદ્યોગપતિઓને મુખ્ય હોલમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ વાયબ્રંટ ગુજરાત સમિટમાં કરોડો રૂપિયાનાં MOU પણ કરાયાં.