ગાંધીનગર: નાણાં મંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે છઠ્ઠી વખત વિધાનસભામાં બજેટ રજૂ કરશે. જોકે આ બજેટ લોકસભાની ચૂંટણીને લઈ પૂર્ણ કદનું ન હોવા છતાં તેમાં સરકાર કેટલીક નવી જાહેરાતો કરી શકે છે. ચૂંટણીના કારણે લેખનુદાન રજૂ કરવામાં આવશે.
જેમાં 4 મહિનાનો ખર્ચ મુકવામાં આવશે અને આ લેખનુદાન પર 2 દિવસ ચર્ચા થશે અને ત્યારબાદ 21 ફેબ્રુઆરીના રોજ લેખનુદાન પર ચર્ચા અને મતદાન કરવામાં આવશે. મહત્વનું છે કે દેશભરમાં રોજગારીનો પ્રશ્ન છે ત્યારે રાજય સરકાર રોજગારલક્ષી મહત્વની જાહેરાત કરી શકે છે.
રાજય સરકાર ખેડૂતોની નારાજગી દૂર કરવા ખેડૂતલક્ષી જાહેરાત કરી શકે છે તેમજ ઉર્જા વિભાગ દ્વારા પેન્ડિંગ રહેલા કપાયેલા કનેક્શન પરત આપવાની જાહેરાત પર અમલવારીને લઈને બજેટની ફાળવણી કરી શકે છે. આ ઉપરાંત શિક્ષણ મહિલા અને બાળ વિકાસ શહેરી વિકાસ અને આવાસ બાબતે પણ મહત્વની જાહેરાત થઈ શકે છે.
લેખાનુદાનમાં શું થઇ શકે જાહેરાત લેખાનુદાનમાં 4 મહિનાનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે
લેખાનુદાનમાં થઈ શકે છે રોજગારલક્ષી મહત્વની જાહેરાત
ખેડૂતોની નારાજગી દૂર કરવા ખેડૂતલક્ષી જાહેરાત થવાની શક્યતા
કપેયેલા વીજ કનેક્શનના ફરી જોડાવાની જાહેરાતની થઈ શકે છે અમલવારી
શિક્ષણ મહિલા અને બાળ વિકાસ મુદ્દે થઈ શકે છે મહત્વની જાહેરાત
શહેરી વિકાસ અને સરકારી આવાસ બાબતે થઈ શકે છે મહત્વની જાહેરાત