ગાંધીનગર: ઉપવાસના નવમા દિવસે હાર્દિકના સમર્થનમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા આવ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ કેબિનેટના મંત્રી કુંવરજી બાવળીયાએ હાર્દિકના સમર્થનમાં નિવેદન આપ્યું છે. જ્યાં કુંવરજી બાવળીયાએ અનામત અને દેવા માફીની માગને યોગ્ય ગણાવી છે.
ઉલ્લેખનીય છે કે હાર્દિકના ઉપવાસને સરકાર માટે ગંભીર મુદ્દો ગણાવ્યો છે.અને બાવળીયાએ નિરાકરણ માટે પ્રયાસો કરવાની વાત કરી છે.ભાજપ સરકારના મંત્રીના નિવેદનથી ઉપવાસ મામલે હકારાત્મક સંકેત મળી રહ્યા છે..મહત્વપૂર્ણ છે કે રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા છે.
આપને જણાવી દઇએ કે બાવળીયાના નિવેદન બાદ પાસના કન્વીનરોએ બાવળિયા પર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન ગીતા પટેલે નિવેદન આપતા જણાવ્યુ કે આગામી દિવસોમાં પેટાચૂંટણી આવી રહી છે. પેટા ચૂંટણીમાં ખેડૂતોના મત મેળવવા માટે બાવળિયાએ નિવેદન આપ્યું છે.
#BJP ના મંત્રીને @HardikPatel_ ને સમર્થન #KunvarjiBavaliya નુ હાર્દિકને સમર્થન
બાવળીયાએ હાર્દિકની માંગણીને યોગ્ય ઠેરવી હાર્દિકના ઉપવાસ એક ગંભીર મુદ્દો છે
વહેલી તકે આનુ નિરાકરણ આવુ જોઇએ અમારો પ્રયાસ છે કે સારૂ અને જલ્દી નિરાકરણ આવે- બાવળીયા pic.twitter.com/u4fh6lvG96
ત્યારબાદ તેમણે જણાવ્યું કે થોડા સમય પહેલા જ બાવળિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા છે. તેઓ ભાજપની રીતિ અને નીતિ જાણતા નથી અને તેઓ સાચા દિલથી અમારી માગો સ્વીકારવા માંગતા હોય તો તેઓ હાર્દિકના નિવાસસ્થાને આવીને મળી શકે છે.
ત્યારબાદ પાસના કન્વીનર મનોજ પનારાએ નિવેદન આપાત જણાવ્યુ કે ખેડૂકોના સમર્થનમાં જે આવશે તેને પાસ સ્વીકારશે અને બાવળિયાએ આ નિવેદન પ્રજાના મનમાં વિશ્વાસ મેળવવા માટે આપ્યું છે.