રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આજરોજ ફરી એકવાર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા જમીન શરતફેર મંજૂરી ઓનલાઇન કરવામાં આવી છે.
રાજ્યના મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય
જમીન શરતફેર મંજૂરી ઓનલાઇન કરવામાં આવી
ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર અરજી માટે 7 દિવસનો સમય મળશે
ઉલ્લેખનીય છે કે, ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર અરજી માટે 7 દિવસનો સમય મળશે તેવી જાહેરાત મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો રી સર્વે રેકર્ડ પ્રમોલગેશન સુધારા અરજીની મુદત 31 માર્ચ 2021 સુધી લંબાવવામાં આવી છે.
ગાંધીનગર : રાજ્યના મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય, જમીન શરતફેર મંજૂરી ઓનલાઇન કરાઈ તથા રી સર્વે રેકર્ડ પ્રમોલગેશન સુધારા અરજીની મુદ્ત 31 માર્ચ 2021 સુધી લંબાવાઇ #Gujarat
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 8, 2021
પહેલા 31 ડિસેમ્બર 2020 સુધી હતી
આપને જણાવી દઇએ કે, કોરોના મહામારીને કારણે પ્રમોલગેશન પછી રી-સર્વે રેકર્ડમાં ક્ષતિઓ સુધારવા ખાતેદારોને અરજી કરવાની તા. 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવામાં આવી છે. અગાઉ અંતીમ તા. 31 માર્ચ 2020 સુધી હતી.