ગાંધીનગર: પાઠ્યપુસ્તક મંડળનો ફરી એકવાર છબરડો સામે આવ્યો છે. ધોરણ 5 અને ધોરણ 8ના ગણિતના પુસ્તકમાં ભૂલો સામે આવી છે. જો કે આ કોઇ આશ્વર્યની વાત નથી. પહેલા પણ ઘણી વખત ભૂલો સામે આવી છે.
મળતી માહિતી અનુસાર ધોરણ 5ના ગણિતના પુસ્તકમાં પાંચ પેજ પર ભૂલો છે. જેમાં દાખલામાં ગુણાકારની જગ્યાએ એક્સની નિશાની દર્શાવાઈ છે. જ્યારે ધોરણ 8ના 12મા પ્રકરણમાં ઘાતાંકના સ્થાને માઈનસની નિશાની દર્શવાઈ છે.
મહત્વનું તો એ છે આ ભૂલો સાથે વિદ્યાર્થીઓએ અડધું સત્ર નિકળી દીધું છે. જો કે અગાઉ પણ પાઠ્ય પૂસ્તક મંડળની અનેક વખત ભૂલ સામે આવી ચૂકી છે. ગત મહિને ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં દર્શાવવામાં આવેલ નકશાઓમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલા 7 જીલ્લાઓ ગાયબ કરી દેવામાં આવ્યા હતા.