મંત્રીઓના કાર્યાલયમાં અત્યાર સુધીમાં 32થી વધુ કર્મી કોરોનાગ્રસ્ત
સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં આજે વધુ 11 કર્મીઓ કોરોનાની ઝપેટમાં
ગાંધીનગરમાં મંત્રીઓના કાર્યાલયના અનેક કર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. તો બીજી તરફ મંત્રીઓ પણ હવે કોરોનાના શિકાર બની રહ્યા છે. જેમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો પણ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો મંત્રીઓના કાર્યાલયમાં અત્યાર સુધીમાં 32થી વધુ કર્મી કોરોનાગ્રસ્ત થયાનો આંકડો સામે આવ્યો છે.
ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં આજે વધુ 11 કર્મીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેમાં કૃષિમંત્રી RC ફળદુના કાર્યાલયમાં અત્યાર સુધી 8 કર્મીને કોરોના થઈ ચૂક્યો છે. તો ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની કાર્યાલયમાં 8 કર્મી કોરોના પોઝિટીવ થયા છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલના કાર્યાલયમાં અત્યાર સુધી 2 કેસ સામે આવી ચૂક્યા છે. આ સાથે મંત્રી દિલીપ ઠાકોરના કાર્યાલયમાં પણ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે.
પ્રદીપસિંહ જાડેજા, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત સ્વર્ણિમ સંકુલમાં મંત્રી ઇશ્વર પરમારના કાર્યાલયમાં 4 કેસ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કાર્યાલયમાં ૩ પોઝિટિવ કેસ અને મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલના કાર્યાલયમાં 4 કર્મચારી પોઝિટિવ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.
રાજ્ય સરકારે 8 મનપામાં વકરતી કોરોનાની સ્થિતિને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મનપા માટે IAS કક્ષાના 8 અધિકારીને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી જવાબદારી સોંપી છે. કોવિડની તબીબી કામગીરીના નિરીક્ષણ, દેખરેખ, સંગલન અને આનુષાંગિક કામગીરી માટે જવાબદારી સોંપાઈ છે. મૂળ કામગીરી ઉપરાંત . વિવિધ જિલ્લાઓમાં કોવિડ કેર સેન્ટરમાં તબીબી કામગીરીનું સુપરવિઝનની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.