ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો રી ટેસ્ટ લેવામાં આવશે. જેને લઈને 10 જૂન સુધીમાં રી ટેસ્ટ પુરી કરીને 15 જૂન સુધીમાં પરિણામ આપવા શિક્ષણ બોર્ડને સૂચના આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ શૈક્ષણિક સમિતિની બેઠકમાં રી ટેસ્ટ નહિ લેવા માટે પ્રસ્તાવ કરાયો હતો અને કરાયેલા પ્રસ્તાવની શિક્ષણમંત્રી સમક્ષ દરખાસ્ત કરાઈ હતી.
જો કે, શૈક્ષણિક સમિતિમાં નક્કી કરાયેલા પ્રસ્તાવને શિક્ષણમંત્રીએ ઠુકરાવ્યો હતો અને ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓના રી ટેસ્ટ લેવા માટે શિક્ષણ બોર્ડને સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11ની રિ-ટેસ્ટ નહીં લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો રી ટેસ્ટ લેવામાં આવશે. જેને લઈને 10 જૂન સુધીમાં રી ટેસ્ટ પુરી કરીને 15 જૂન સુધીમાં પરિણામ આપવા શિક્ષણ બોર્ડને સૂચના આપવામાં આવી.#Gandhinagar#retestpic.twitter.com/zZM5DhbLzA
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 29, 2019
પરંતુ વાલીઓએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાને કરેલી રજૂઆત બાદ હવેથી ધોરણ 9 અને 11ની રિ-ટેસ્ટ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ,ધોરણ 9 અને 11ની એપ્રિલ 2019માં લેવાયેલી પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ શાળાઓએ 10 જૂન સુધી પૂર્ણ કરવાની રહેશે, અને તેનું પરિણામ 15 જૂન સુધીમાં જાહેર કરવાનું રહેશે.