યુવરાજસિંહના વકીલ અને સરકારી વકીલ વચ્ચે થઇ દલીલો.યુવરાજસિંહ સામે 207 અંતર્ગત ગુનો બનતો નથી- નીતિન ગાંધી ,તો સરકારી વકીલે પણ જામીન ન આપવા કરી દલીલ
યુવરાજસિંહની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ
આવતીકાલે ગાંધીનગર સેસન્સ કોર્ટ આપશે ચુકાદો
મંજૂરી વગર વિધાનસભા કૂચ કરી છે- સરકારી વકીલ
સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં લોકપ્રિય એવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હાલ સાબરમતી જેલના સળિયા પાછળ છે. યુવરાજસિંહ વિરુદ્ધ પોલીસ પર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે યુવરાજસિંહની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. ગાંધીનગર સેસન્સ કોર્ટ આવતી કાલે ચુકાદો આપશે.
યુવરાજસિંહના વકીલે શું કર્યો દાવો ?
યુવરાસિંહના વકીલ નીતિન ગાંધીએ દાવો કર્યો છે કે યુવરાજસિંહ સામે 207 અંતર્ગત ગુનો બનતો નથી. કોન્સ્ટેબલ પર ગાડી ચડાવી અને ઇજા પણ થઇ નથી. આ કોઇ ઇરાદાપૂર્વક કરેલ કૃત્યુ નથી. યુવરાજસિંહે અત્યાર સુધી કોઇ ગંભીર ગુનો નથી કર્યો
જામીન મુદ્દે સરકારી વકીલે શું દલીલો કરી ?
તો સરકારી વકીલે દલીલ કરતા જણાવ્યુ કે મંજૂરી વગર વિધાનસભા કૂચ કરી છે. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા તેમના પર ગાડી ચડાવવાની પ્રયાસ કરાયો. ગાડી ચડાવી દેવાના પ્રયાસ માટે 307 ગુનો નોંધાયો છે. તો યુવરાજસિંહના જામીનને લઇને વધુમાં જણાવ્યું કે ગાંધીનગરમાં આવા આંદોલન ન થાય તે માટે જામીન ન આપવા જોઈએ. ગાંધીનગર અને અમદાવાદમાં આંદોલન કરવા પરવાનગી ન મળવી જોઈએ.
યુવરાજસિંહની ધરપકડ કેમ ?
ગાંધીનગરમાં વિદ્યાસહાયકોના સમર્થનમાં યુવરાજસિંહ પહોચ્યા હતા. વિરોધ વધુ ઉગ્ર બને તેવી સંભાવનાને પગલે યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે SP મયુર ચાવડાએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે યુવરાજસિંહ અને દિપક ઝાલા સચિવાલયથી SP કચેરી આવ્યા હતા. પોલીસ સાથે ઘર્ષણ કરી ધક્કા મારી નિકળવાનો પ્રયત્ન કર્યો હતો. યુવરાજસિંહે ભાગવાના પ્રયાસમાં ગાડી લઈને નિકળવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને ઘસડીને ગાડી લઈ જાય છે તેવો મયુર ચાવડાએ આક્ષેપ લગાવ્યો હતો.
યુવરાજસિંહ સામે કઇ કલમ લગાવાઇ ?
મહત્વનું છે કે યુવરાજસિંહ સરકારી ભરતીમાં રહેલી ખામીઓ અને થઈ રહેલી ગેરરીતિને પુરાવાઓ સાથે સરકાર સમક્ષ આયોજનને લઈ સવાલો ઊભા કરી રહયા છે. સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં યુવરાજસિંહ જાડેજા વધુ લોકપ્રિય છે. ત્યારે ગાંધીનગરમાં વિદ્યાસહાયકોના વિરોધના સમર્થનમાં પહોંચેલા યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હતી. કાર્યક્રમની પરમીશન ન હોવાને બહારને ગાંધીનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ પર હુમલો કરવાના ગુના બદલ યુવરાજસિંહ વિરુદ્ધ 332 અને 307ની કલમના આધારે ગુનો નોંધીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.