ગાંધીનગરમાં 3 હત્યા કરીને ફરાર થઈ જનાર સિરિયલ કિલરને પોલીસ તંત્ર શોધી રહ્યું હતુ. પણ પોલીસને ચકમો આપવામાં મોનિષ માલી નામનો યુવાન સફળ થતો હતો. કોઈપણ ગુનેગાર પોલીસથી ક્યાં સુધી છુપાઈ શકે? પોલીસ પણ મોનિષને સરખેજથી ઝડપી પાડ્યો હતો.
3 હત્યા કરીના છુ થઈ ગયો હતો સિરિયલ કિલરને
પોલીસને આ હત્યારાને શોધવા માટે નાકે દમ આવ્યો હતો
8 પોલીસ અધિકારીની SIT ટીમ બનાવીને શોધખોળ હાથ ધરાઈ હતી
ગાંધીનગરમાં 3 હત્યા કરીને ફરાર
મોનિષે ગાંધીનગરમાં શેરથા, ટિંટોળા અને દંતાણી ગામમાં 3 હત્યાઓ કરી હતી. ATSએ આ સિરિયલ કિલરને સરખેજ વિસ્તારમાંથી આબાદ ઝડપી પાડ્યો હતો.
ગાંધીનગરમાં 3 હત્યા કરી ફરાર સિરિયલ કિલર ઝડપાયો
કેવી રીતે કરતો હત્યા
ત્રણેય હત્યા સવારના સમયગાળામાં એટલે કે 8થી 10ના સમયગાળામાં વચ્ચે થઇ છે, અને હત્યારાએ માથાના પાછળના ભાગે જ ગોળી મારીને હત્યા કરી છે. જ્યારે હથિયારમાં ઓટોમેટિક પિસ્તોલ અને 7.65 એમએમની કારતુસથી હત્યા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ તપાસની શું હતી મોડેસઓપરેન્ડી
14 ઓક્ટોબર 2018થી ગાંધીનગર જિલ્લામાં માથા ગોળી મારી અને હત્યાના બનાવનો સિલસિલો શરૂ થયો હતો. ડિસેમ્બર માસમાં સુધી ત્રણ હત્યા બની ત્યાં સુધી ગાંધીનગર પોલીસ સૂતી રહી હતી. ત્રીજી હત્યા બાદ જાગેલી ગાંધીનગર પોલીસના વડા જાગ્યા હતા અને 8 લોકોની SIT(Special investigation team) ની ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી.
પોલીસે આ બનાવમાં FSL(forensic science laboratory) તેમજ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ અને ગુજરાત એટીએસની પણ મદદ લીધી છે. એટલું જ નહીં પોલીસે મોડી રાત્રે હથિયારો સાથે મોટરસાઇકલ તેમજ ખાનગી વાહનોમાં પણ પેટ્રોલિંગ વધારી દીધું છે. હત્યારો CCTVમાં થયો હતો કેદ
8મી ફેબ્રુઆરી 2019ના રોજ આ સિરિયલ કિલર અડાલજ પાસે આવેલા ટી-સ્ટોલમાં જોવા મળ્યો હતો. પોલીસે આ અંગે આસપાસના CCTV ફુટેજમાંથી સ્કેચ બનાવીને જાહેર કર્યો હતો. આ કિલર વ્યઢંળ હોવાની શંકાઓએ પણ જોર પકડ્યુ હતુ.