ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિરોધ પ્રદર્શિત કરનારાઓને જનતાનું સમર્થન ના મળ્યું. પ્રદર્શનકારીઓનો પરાજય થયો.
સરકારે લવજેહાદનો કાયદો બનાવ્યો, કોંગ્રેસે કર્યો વિરોધ
પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપનો વિજય થયો. તેમણે ગૌવંશના રક્ષણ અંગે મોટું નિવેદન આપતા કહ્યું કે, જે ગાયની દયા નહીં ખાય, સરકાર તેમની દયા નહીં ખાય. રાજ્ય સરકારની કામગીરીના વખાણ કરતા કહ્યું કે, ગૌહત્યા સામે અને લવજેહાદનો કાયદો બનાવ્યો. તો લવજેહાદના કાયદાનો કોંગ્રેસે વિરોધ કર્યો.
મહિલાઓના રક્ષણની જવાબદારી સરકારની: પ્રદિપસિંહ
તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં ગુંડા નાબુદી ધારા કાયદાનો અમલ કરવામાં આવશે. તો મહિલા સુરક્ષા અંગે જણાવ્યું કે, મહિલાઓનું રક્ષણ કરવુ સરકારની જવાબદારી છે. જ્યારે ચેઈન સ્નેચિંગ કાયદામાં 7 વર્ષની સજાની જોગવાઈ છે. છેલ્લાં 5 વર્ષમાં શહેરી વિસ્તારોમાં વિકાસ થયો.
ગુજરાત સરકાર કરી રહી છે 5 વર્ષની ઉજવણી
ગુજરાત સરકાર દ્વારા સતત 5 વર્ષથી રાજ્યમાં ઘણા વિકાસના કામો કરવામાં આવ્યા છે. રૂપાણી સરકારના 5 વર્ષ હવે પૂરા થયા છે. જેથી તેની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સરકાર દ્વારા શહેરીજન સુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે. જેમા મુખ્યમંત્રી રૂપાણી પણ હાજર રહેવાના છે.
5001 કરોડના વિકાસના કામ
આ કાર્યક્રમમાં CM રૂપાણી દ્વારા 5001 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ આજે 40 જેટલા કાર્યક્રમ યોજાવાના છે. જે કાર્યોક્રમોમાં સરકાર દ્વારા વિકાસના કામોને લીલીઝંડી આપવામાં આવશે.