રાજ્યમાં એક તરફ કોરોના સંક્રમણે ચિંતા વધારી છે તો બીજી તરફ કોરોનાને લઈને રાજકીય ઘમાસાણ મચ્યું છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી હતી.
રાજ્યમાં 93 હજાર પથારી ઉપલબ્ધ છે
એપ્રિલ માસમાં 5 લાખ રેમેડીસીવ ઇન્જેકશન પુરા પડ્યા
DRDO સહયોગથી 900 બેડની હોસ્પિટલ ઉપલબ્ધ છે
પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટે તે માટે સરકાર કાર્યરત છે. તો કોંગ્રેસ રાજકીય આક્ષેપબાજી કરે છે અને પ્રજાને ગેરમાર્ગે દોરે છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ અટકે તે માટે જરૂરી ગાઈડલાઇન મુદ્દે રાજ્યનું તંત્ર કાર્યરત છે.
પહેલા રાજસ્થાન અને પંજાબની સ્થિતિ જુએ કોંગ્રેસ
આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે ગુજરાત સરકાર પર આક્ષેપ કરતા પહેલા રાજસ્થાન અને પંજાબની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. ત્યારબાદ ગુજરાત સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવવા જોઇએ.
રાજ્યમાં કોવિડ બેડને લઈને આપ્યું મોટું નિવેદન
પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, રાજ્યમાં 93 હજાર પથારી ઉપલબ્ધ છે. તો એપ્રિલ માસમાં 5 લાખ રેમેડીસીવ ઇન્જેકશન પુરા પાડવામાં આવ્યા છે અને અમદાવાદના GMDC મેદાનમાં આવેલ ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલમાં DRDOના સહયોગથી 900 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જેમાં
ઓક્સિજનને લઈને નિવેદન
રાજ્યમાં ઓક્સિજનની સ્થિતિ મુદ્દે નિવેદન આપ્યું હતું કે, ઓક્સિજન માટે સિનિયર અધિકારી મોનીટરીંગ કરી રહ્યા છે અને હાલ રાજ્યમાં 11 ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થઈ રહ્યા છે. તો તેમણે વધુમાં કહ્યું હતું કે, હાલની વ્યવસ્થાઓ મારી દ્રષ્ટીએ સારી છે અને ધારાસભ્યો મેડિકલમાં વપરાતા સાધનો માટે ગ્રાંટ આપી શકશે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસના આંકડાઓની ગતિમાં ઘટાડો જોવાં મળ્યો છે. ગઇકાલે રાજ્યમાં 14340 કેસ સામે આવ્યા હતા જ્યારે આજે 14352 કેસ સામે આવ્યા છે. અગાઉ આ જ મહિનામાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળતો હતો ત્યારે આંકડાઓમાં કેસની ગતિ ધીમી પડી છે.
રાજ્યમાં હાલ 127840 એક્ટિવ કેસ
રાજ્યમાં કોરોના વાયરસના સતત વધતાં કેસના કારણે અત્યારે 127840 એક્ટિવ કેસ છે જ્યારે તેમાંથી 418 દર્દીઓ હાલમાં વેન્ટિલેટર પર છે તથા અત્યાર સુધીમાં 6656 ગુજરાતીઓ કોરોના વાયરસનો ભોગ બન્યા અને જીવ ગુમાવ્યો છે.