દાદાગીરી કરતો પોલીસકર્મી ભાવેશ રાવલ છે, તેની સામે ફરિયાદ કરી તેથી વૃદ્ધને બે'રહેમ' મારી રહ્યો છે
ગાંધીનગરમાં પોલીસ કોન્સ્ટેબલની દાદાગીરી
સોસાયટીમાં રહેતા સિનિયર સીટીઝનને માર્યો ઢોર માર
અગાઉની ફરિયાદની અદાવત રાખી વૃદ્ધને માર માર્યો
કૃષ્ણનગરમાં પોલીસ કર્મચારીની દાદાગીરી આવી સામે. એક સિનિયર સિટીઝન પર હુમલો કરતા નોંધાઈ ફરિયાદ. અગાઉ કરેલી ફરિયાદની અદાવત રાખીને પોલીસ કર્મચારી અને તેના મિત્રોએ હુમલો કર્યો.આ ઘટનાથી રહીશોમાં દહેશત ફેલાઈ છે.
અંગત અદાવતમાં વૃદ્ધને ઢોર માર માર્યો
સીસીટીવી ફુટેજના દ્રશ્યોમાં પોલીસ કર્મચારી અને તેના મિત્રોની દાદાગીરી કેદ થઈ છે.. એક સિનિયર સીટીઝન એક્ટિવા પર ઘરે પરત ફર્યા ત્યારે તેમને અટકાવીને હુમલો કર્યો.. ઘટનાની વાત કરીએ કે કૃષ્ણનગર મહાસુખનગરમાં રહેતા 63 વર્ષીય કનકભાઈ શાહએ અગાઉ પોલીસ કર્મચારી ભાવેશ રાવલ અને તેના મિત્ર ભાર્ગવ પટેલએ સોસાયટી ની ઓફીસમાં પ્રવેશ કરીને ધમકી આપતા ફરિયાદ નોંધાઈ હતી.. જેની અદાવત રાખી ની ભાવેશ રાવલ, ભાર્ગવ પટેલ અને તેના મિત્રો તેમજ પરિવાજનોએ લાકડા અને પાઇપોથી કનકભાઈ પર હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા . આ ઘટનાથી સ્થાનિકોમાં દહેશત ફેલાઈ હતી.
ખાખીગીરી કરતો પોલીસકર્મી કોણ છે?
ભાવેશ રાવલ ગાંધીનગરમાં CID ક્રાઇમમાં ફરજ બજાવે છે.. છેલ્લા 10 વર્ષથી આ સોસાયટીમાં રહે છે. ભાવેશ રાવલ અને તેનો મિત્ર ભાર્ગવ પટેલ ની સોસાયટીમાં દાદાગીરી હોવાનો આરોપ રહીસે લગાવ્યો છે. માર્ચ માસમાં સોસાયટી ના ચેરમેન નું ઇલેક્શન હતું ત્યારે ભાર્ગવ પટેલ ઇલેક્શન માં ઉભા હતા.. પરંતુ ઇલેક્શન હારી જતા તેઓએ સોસાયટી ના કમિટી મેમ્બર સાથે તકરાર અને દાદાગીરી શરૂ કરી.. સોસાયટી માં પ્રવેશ ગેટ લગાવતા મેં મહિનામાં ભાવેશ રાવલે કમિટી મેમ્બર કનકભાઈ શાહ સાથે ઝઘડો કરીને ધમકી આપી હતી.. જેની ફરિયાદ નોંધાઈ હતી.. આ ફરિયાદની અદાવત રાખીને કનકભાઈ પર ફરી હુમલો કરવામાં આવ્યો. એટલું જ નહીં આ બન્ને મિત્રોએ સોસાયટી ના અનેક લોકો ને માર માર્યો હોવાનો આક્ષેપ રહીશોએ કર્યો હતો.. હાલમાં કૃષ્ણનગર પોલીસે ફક્ત ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી કાર્યવાહી કારવામાં આવશે કે નહીં તેના પર મોટો સવાલ છે.
શું પોલીસકર્મી હોય તો એક્શન ન લેવાય?
સોસાયટી માં પોલીસ કર્મચારી ની દાદાગીરીથી રહીશો પરેશાન છે..એક તરફ કાયદાનો રક્ષક કાયદો હાથમાં લઈને દાદાગીરી કરે છે જ્યારે બીજી તરફ પોલીસ કર્મચારી હોવાથી પોલીસ છાવરી રહી હોવાનો રોષ રહીશોએ વ્યક્ત કર્યો હતો. ત્યારે સોસાયટી ના વિવાદ વચ્ચે ફરી પોલીસની છબી પર સવાલ ઉઠ્યા છે..પોલીસકર્મી કેમ દાદાગીરી કરી રહ્યાં છે?
શું તમારી સામે કોઇ ફરિયાદ ના કરી શકે? તમારી સામે ફરિયાદ કરી એટલે દાદાગીરી કરશો? ખાખી વર્દીની આડમાં કોઇને પણ માર મારશો? શું પોલીસકર્મી ભાવેશ રાવલ સામે કાર્યવાહી કરવામાં કેમ ગાંધીનગર પોલીસ ફાંફાં મારી રહી છે. સીસીટીવી વીડિયો પોલીસની દાદાગીરીની ચાડી ખાઈ રહ્યા છે પણ અવાર નવાર સ્થાનિકો સામે રોફ ઝાડતા પોલીસ કર્મી પર ચુપ્પી સધાઈ છે.