લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં 10 સભાઓ ગજવશે. ગુજરાતમાં 10 એપ્રિલથી પ્રધાનમંત્રી મોદીનું પ્રચાર અભિયાન શરૂ થશે. જેમાં તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 3-3 સભાઓને સંબોધશે.
ગાંધીનગર: લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં 10 સભાઓ ગજવશે. ગુજરાતમાં 10 એપ્રિલથી પ્રધાનમંત્રી મોદીનું પ્રચાર અભિયાન શરૂ થશે. જેમાં તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 3-3 સભાઓને સંબોધશે.
તો મધ્ય ગુજરાતમાં બે સભા અને આદિવાસી વિસ્તારમાં એક સભા સંબોધશે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર અને અમરેલીમાં તેઓ સભાઓ સંબોધી શકે છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં પણ સભાને સંબોધશે. મધ્ય ગુજરાતમાં આણંદમાં તેઓ સભાને સંબોધિત કરશે. આદિવાસી વિસ્તાર દાહોદ અથવા છોટાઉદેપુરમાં પણ સભાને સંબોધન કરશે અને દક્ષિણ ગુજરાતમાં એક સભા સંબોધિત કરશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની 26 બેઠકો જીતવાના નિર્ધાર સાથે ભાજપ કામે લાગ્યું હોવાથી પોતાના પક્ષના સ્ટાર પ્રચારક અને તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુલ 10 સભા ગુજરાતમાં ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોના મત મેળવવા માટે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર અને અમરેલીમાં સભાઓ ગોઠવવામાં આવી હોવાના પણ અહેવાલો પ્રાપ્ત થયાં છે.
આપને જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગત લોકસભાની ચૂંટણીમાં ગુજરાત સહિત દેશના ખૂણે-ખૂણે પ્રચાર કરીને ભાજપને જીતાડવામાં સિંહફાળો આપ્યો છે. ત્યારે આ વખતે પણ જોવું જ રહ્યું કે PM મોદીનો જાદૂ કેટલા અંશે મતદાતાઓને રીઝવી શકે છે.