ગાંધીનગર જિલ્લાના કલોલ પાસે આવેલા છત્રાલમાં અશોક પટેલ નામના વ્યક્તિની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાને લઈ પરિવારજનોમાં ઉગ્ર રોષ વચ્ચે આખરે અશોક પટેલની અંતિમ યાત્રા નીકળી છે. જેમાં છત્રાલ અને આસપાસના ગામોના હજારો લોકો જોડાયા છે. આ અંતિમ યાત્રામાં કેશરી ઝંડા પણ જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અંતિમ યાત્રામાં જોડાયેલા હજારો લોકોની આંખોમાં આસું હતા અને આરોપીઓ ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. તો આ અંતિમ યાત્રામાં SPG અધ્યક્ષ લાલજી પટેલ પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે અશોક પટેલ કેટલાક લોકોએ ઘાતકી હત્યા કરી હતી.
જેના કારણે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધી હતો. પરંતુ આખરે 3 દિવસ બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર કર્યો હતો અને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે છત્રાલમાં અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. હાલ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.
આપને જણાવી દઇએ કે ગાંધીનગર જિલ્લાના છત્રાલમાં અશોક પટેલની થયેલી ઘાતકી હત્યાને લઈ આજે હજારો લોકોની ઉપસ્થિતિમાં અંતિમ યાત્રા નીકળી હતી. આ અંતિમ યાત્રામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જોડાયા હતા. નીતિન પટેલે કહ્યું કે હત્યાને લઈ કડી તાલુકામાં આક્રોશ છે પરંતુ રાજ્ય સરકારે ઉચિત કાર્યવાહી કરી છે.
હત્યામાં સામેલ 7માંથી 6 આરોપીને ઝડપી લેવાયા છે અને એક આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. જે પણ આરોપીઓએ છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તો નીતિન પટેલે વધુ કહ્યું કે આ વિસ્તારમાં અવાર નવાર અસામાજિક તત્વો આતંક મચાવે છે પરંતુ હવે તેમની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.