ગાંધીનગર: 3 રાજ્યોમાં હાર બાદ ભાજપે મનોમંથન કર્યું હતું. 3 રાજ્યોમાં હાર બાદ ભાજપને હવે આત્મજ્ઞાન થયું છે. હારના કારણમાં કાર્યકર્તાઓમાં નિરાશા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આજે ભાજપના કાર્યાલય કમલમમાં મહત્વની બેઠક યોજાશે.
સતત ઉપેક્ષાથી ફિલ્ડ વર્કમાં કાર્યકર્તાઓ નિરાશ હતા ત્યારે ભાજપે કાર્યકર્તાઓના ઉત્સાહ વધારવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હવે ભાજપ દ્વારા કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવે છે. આ અંતર્ગત નવા વર્ષે કાર્યકર્તાઓને મોટી ભેટ ભાજપ આપી શકે છે. ભાજપ કાર્યકર્તાઓને સંગઠનમાં હોદ્દાઓની લ્હાણી કરી શકે છે.
આપને જણાવી દઇએ કે તાજેતરમાં યોજાયેલ 5 રાજ્યોની ચૂંટણી બાદ ભાજપની 3 રાજ્યમાં હાર થતાં ભાજપ સફાળું જાગ્યું છે અને હારના કારણમાં કાર્યકર્તાઓમાં નિરાશા હોવાનું સામે આવતા ભાજપના સત્તાવાર કાર્યાલય શ્રી કમલમ ખાતે આજે ખાસ બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં પક્ષના દિગ્ગજ નેતાઓ સહિત કાર્યકરો પણ જોડાશે.