કલોલમાં ગેસની પાઈપલાઈનમાં બ્લાસ્ટનો મામલે હવે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે કારણ કે આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થઈ ચૂક્યા છે.
ONGCની પાઈપલાઈનમાં બ્લાસ્ટનો મામલો
દુર્ઘટનામાં બે લોકોના થઈ ચૂક્યા છે મૃત્યુ
આટલી મોટી દુર્ઘટના છતા અધિકારીઓનું મૌન
આટલી મોટી દુર્ઘટના છતા અધિકારીઓનું મૌન સ્થાનિકોને અકળાવી રહ્યું છે. પહેલો તો સ્થાનિક લોકોને એ જ ન સમજાયું કે આ ધડાકો શેનો થયો અને પછી બે ઘર બ્લાસ્ટમાં સાવ ધરાશાયી થઈ ચૂક્યા હતા ત્યારે ઘરના રહેનારા લોકો લાપતા થઈ ગયા હતા જેમાંથી અત્યાર સુધીમાં 2 લોકોના મોત થઈ ગયા છે અને અધિકારીઓ મગનું નામ મરી પાળવા તૈયાર નથી.
કલોલની આ સોસાયટીની નીચેથી ગેસની પાઈપલાઈન પસાર થઈ રહી હોવાનો ગણગણાટ છે અને એ પાઈપમાં બ્લાસ્ટ થવાને કારણે જ આ વિનાશક બ્લાસ્ટ થયો હતો જેમાં 2 લોકોનો ભોગ લેવાયો છે.
સ્થાનિકો અધિકારીઓના ભેદી મૌનથી અકળાયા
આ મામલે મીડિયાના સવાલો સાંભળીને ગેસ કંપનીના અધિકારીઓ જવાબ દેવાને બદલે કારમાં ગોઠવાઈ ગયા હતા. એટલું જ નહીં. મીડિયાના સવાલોથી ડરીને ચાલતી પકડી હતી ત્યારે પ્રશ્ન એ થાય કે, આટલી મોટી દુર્ઘટનાનું કારણ શું અને જવાબદારી કોની?
સળગતા સવાલ
આટલી મોટી દુર્ઘટના છતા અધિકારીઓ કેમ મૌન છે?
આટલી મોટી દુર્ઘટનાનું કારણ શું અને જવાબદારી કોની?
ગેસની પાઇપલાઇન જતી હતી તો તેના પર બાંધકામની પરવાનગી કોને આપી?