ગાંધીનગરના કલોલમાં ગેસની પાઇપલાનમાં બ્લાસ્ટ મામલે ચોંકાવનારી વિગત સામે આવી છે. જે મકાનમાં બ્લાસ્ટ થયો હતો તેની નીચેથી ONGCની મોટી ગેસ લાઇન મળી આવી છે. કાટમાળ ખસેડતા ઓઇલની પાઇપ લીકેજ થયું હોવાનું સામે આવ્યું છે. જમીનમાંથી હજી પણ ઓઇલ બહાર આવી રહ્યું છે.
ગાંધીનગરના કલોલ ગાર્ડનસીટીમાં બ્લાસ્ટનો મામલો
મકાન નીચેથી ONGCની મોટી લાઇન મળી આવી
કાટમાળ ખસેડતા ઓઇલની પાઇપ લીકેજ હોવાનું આવ્યું સામે
ગાંદીનગરના કલોલ ગાર્ડનસીટીમાં બ્લાસ્ટ મામલે મકાન નીચેથી ONGCની મોટી લાઇન મળી આવી છે. મકાનનો કાટમાળ ખસેડતા ઓઇલની પાઇપ લીકેજ હોવાનું સામે આવ્યું છે. જમીનમાંથી હજુ પણ ઓઇલ બહાર આવી રહ્યું છે.
ત્યારે હવે સ્થાનિકો દ્વારા યોગ્ય તપાસની માંગ કરી છે. હાલ અહીં સ્થાનિકો ન્યાય માટે ધરણાં પર બેઠાં છે. સરકાર તરફથી નુકસાનના વળતરની માગ કરવામાં આવી છે, આ સાથે દોષીઓ સામે યોગ્ય કાર્યાવાહની પણ માગ કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે 22મી ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં વહેલી સવારે પંચવટી સોસાયટીમાં ગેસલાઈમાં બ્લાસ્ટ થવાને કારણે બે મકાન ધરાશાયી થયા હતા. એટલું જ નહીં 2 લોકોના જીવ ગયા હતા અને 4 લોકો ઘાયલ થયા હતા.
કલોલમાં ગેસની પાઈપલાઈનમાં બ્લાસ્ટનો મામલે CMO કાર્યાલયએ રિપોર્ટ માંગ્યો હતો. આ સાથે ગૃહમંત્રી અમિત શાહે પણ કલોલમાં ONGCની પાઈપલાઈનમાં બ્લાસ્ટમાં 2ના મોત અને ઘાયલો સહિત મામલે રિપોર્ટ માંગ્યો હતો.
આ અગાઉ અધિકારીઓએ કહ્યું હતું કે પાઇપલાઇન ONGCની નથી. કલોલમાં ગેસ પાઈપલાઈનમાં બ્લાસ્ટનો મામલે ગાંધીનગરના કલેકટર કુલદીપ આર્યાનું નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તારણ છે. ONGCની પાઇપલાઇન ત્યાંથી પસાર થતી નથી એવું અધિકારીનું કહેવું હતું.
બિલ્ડરે શું કીધું હતું
કલોલમાં ગાર્ડન સીટીમાં ગેસ પાઈપલાઈનમાં બ્લાસ્ટનો મામલે ગાર્ડન સીટીમા બાંધકામને લઇ કેટલીક વિગતો સામે આવી હતી. રાજુ પટેલના નામના બિલ્ડરે 2005માં સ્કીમ મૂકી હતી. બિલ્ડર રાજુ પટેલનો દાવો કર્યો હતો કે, ગેસ લાઈન પાસેથી પણ NOC લેવાઈ હતી. NA પણ કલેક્ટર ઓફીસથી મેળવી હતી. ગાર્ડન સીટીના રહીશોને મોત મુખમા ધકેલનારાઓ કોણ છે.