અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનું કોકડું ગુંચવાયું છે. બંને નેતાઓના ભાજપમાં જોડવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે. જો કે,ભાજપ પ્રદેશ કાર્યાલય પાસે આ બંને નેતાઓના જોડાવા અંગે કોઇ માહિતી નથી.
ઉલ્લેખનીય છે કે, જ્યારે ભાજપ પ્રદેશ નેતૃત્વએ હાલમાં વાત ચાલી રહી હોવાનું રટણ કર્યુ હતું. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આવતીકાલે ભાજપમાં જોડાશે તેવો ઠાકોર સેનાના કાર્યકર્તાઓ દ્વારા મેસેજ ફરતો કરાયો હતો.
જો અલ્પેશ ભાજપમાં જોડાય તો....?
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોર જો ભાજપમાં જોડાય તો અલ્પેશ ઠાકોરને રાજ્ય સરકારમાં મળી શકે છે મંત્રી પદ. આ સાથે જ અલ્પેશ ઠાકોરને ફરીથી વિધાનસભાની ચૂંટણી લડવી પડશે અને તે રાધનપુર બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણી લડી શકે છે.
તો આ સાથે જ રાજ્યસભામાં જવાની પણ અલ્પેશ ઠાકોરને છે આશા. તો તેને સંગઠનમાં મોટી જવાબદારી પણ આપવામાં આવી શકે છે. અલ્પેશ ઠાકોર પેરાશૂટ મંત્રી બને તો ભાજપના સિનિયર ધારાસભ્યો નારાજ થવાની પણ શક્યતા રહેલી છે.