ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી ત્રીજી ઓક્ટોબરે છે.આ ચૂંટણી અગાઉ કોરોનાની બીજી લહેર પૂર્વે યોજાનારી હતી, મોકૂફ રાખવામાં આવેલી આ ચૂંટણી હવે ત્રીજીઓ ઓક્ટોબરે યોજાશે મહાનગર પાલિકા ગાંધીનગરમાં ત્રિ-પાંખિયો જંગ છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી.ગાંધીનગર મનપાને લઈને કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે.કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કોંગ્રેસે તમામ વર્ગોને સાચવી લેવા સાથે પોતાના કામોની ગેરંટી આપી છે.કોંગ્રેસે ગાંધીનગરમાં 10 હજાર બેરોજગારોને રોજગારની ગેરંટી,કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને ખાનગીકરણની સંપૂર્ણ નાબુદીનું વચન આપ્યુ હતુ ઉપરાંત, સરકારી ભરતીનો અમલ,100 વીજ યુનિટ સુધી લાઈટ બિલ માફ.દરેક વોર્ડમાં ઈંગ્લિશ મીડિયમ સહિતની મોર્ડન શાળા,વિદ્યાર્થીઓને મફત શિક્ષણ,તથા ગાંધીનગરમાં ફી વાઈફાઈ, ગાય માટે સેવા કેન્દ્રો સહિતના વચન કોંગ્રેસે આપ્ચા છે
વધુમાં કોંગ્રેસે વચન લહાણ કરતા મહિલાઓ, પોલીસ અને આર્મીમેનને સિટીબસમાં કોંગ્રેસ શાસનમાં મફત મુસાફરી,ગાંધીનગર શહેરમાં મિલકતવેરા (પ્રોપર્ટી ટેક્ષ) ના માળખાની પુનઃસમીક્ષા,
નવા સમાયેલા વિસ્તારોને શહેરી સુવિધાઓ ન પહોંચે ત્યાં સુધી કોઈ ટેક્સ નહીં લેવાનું પણ વચન આપ્યું છે.ગાંધીનગર શહેરને યુથ આઈકોન સીટીનો દરજ્જો આપી સ્પોર્ટસ, જીમ, કલ્ચર, અને મીડીયા સહિતની યુથ પ્રવૃત્તિઓ વિકસાવવા પર ભાર મુક્યો છે.ગાંધીનગરને લીલીછમ હરિયાળી પ્રદાન કરવા વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કાઢવાની પ્રક્રિયા સ્થગિત કરી કોંગ્રેસ લાખો વૃક્ષોનું વાવેતર કરવાની વાત પર ભાર આપ્યો છે.સાથે જ રાજ્ય પુરતું નહિ પરંતુ ગાંધીનગરને ભારતનું નં. 1 ગ્રીનસિટી બનાવવા પણ સંકલ્પ તેમણે ઘોષણા પત્રમાં કર્યો છે.આ ઉપરાંત
ડમ્પીંગ સાઈડને,જ્યાં રહેણાકનાં હોય તેવી અવાવરું જગ્યાએ લઇ જવાની વાત પણ કરી છે.માનવીય મુલ્યોના જતન-સંવર્ધન કરતા ભૂખ્યાને ભોજન,ઘાયલ જીવો માટે મોબાઇલ સર્વિસ અને ગાય માતા માટે સેવા કેન્દ્રોની બાબત પર પણ વિશેષ રૂચી દાખવી છે. આ ઉપરાંત ગાંધીનગર વાસીઓને ઘરદીઠ એક લાખનો ફ્રી પર્સનલ એકસીડેન્ટ વીમો આપવાનું પણ વચન આપ્યું છે.
દેશમાં સૌ પ્રથમ 24×7 પાણી આપતું શહેર-ભાજપ
બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના ઘોષણા પત્ર દ્વારા ગાંધીનગરના નાગરિકોને રીઝવવા પ્રયાસ કર્યો છે.ચૂંટણી જાહેર થયાના એક કલાક પૂર્વે જ પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકારી કર્મચારીઓને ભથ્થાની લહાણી કરી દીધી હતી. હવે ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગરને દેશનું સૌ પ્રથમ 24×7 પાણી આપતું શહેર બનાવવાનો સંકલ્પ કરવા સાથે 229 કરોડના ખર્ચે ગાંધીનગરને નર્મદાનું પાણી આપવાની વાતને પ્રાધાન્ય આપ્યું છે.સાથોસાથ GPSC/ ગૌણ સેવામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનો ભાજપનો સંકલ્પ કર્યો છે,રોજગાર વાંછું યુવાઓ અને નવા વિસ્તારો માટે નવું મહેકમ અને ભરતી કરવાનો સંકલ્પ પણ ઘોષણા પત્રમાં કર્યો છે. વધુમાં,નવી ટીપીના રોડ પહોળા કરવા સાથે મિલકત વેરો, વેપાર-ધંધાના વેરાની નવી સમીક્ષાનો વાયદો પણ કર્યો છે