મહાનગર પાલિકા-ગાંધીનગરની રવિવારે યોજાનારી ચૂંટણી 11 વોર્ડ અને 44 બેઠકો માટે થશે. જેમાં 2.82 લાખ મતદાતાઓ મતદાન કરશે. ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે ત્રિકોણીયો જંગ
ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી
11 વોર્ડ,44 બેઠક 284 મતદાન મથક
અંદાજે 2.82 લાખ મતદારો કરશે મતદાન
ગાંધીનગર મહાનગર પાલિકાની રવિવારે ચૂંટણી છે શાંતિપૂર્વક મતદાન માટે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંકલનથી કામગીરી સંભાળી છે.ગાંધીનગરનાં મહાપાલિકા ક્ષેત્રમાં અંદાજે 2.82 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.આ માટે 284 મતદાન મથકો તૈયાર કર્યા છે જ્યાં મતદાન થશે. આ 284 મતદાન મથકોમાંથી 136 જેટલા મતદાન કેન્દ્ર સંવેદનશીલ ગણાવાયા છે જ્યારે 6 મતદાન મથક અતિ સંવેદનશીલની યાદીમાં છે.
ત્રિકોણીયો જંગ-136 મતદાન મથક સંવેદનશીલ
મહાનગર પાલિકા-ગાંધીનગરની રવિવારે યોજાનારી ચૂંટણી 11 વોર્ડ અને 44 બેઠકો માટે થશે. જેમાં 2.82 લાખ મતદાતાઓ મતદાન કરશે. ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે અહીં ત્રિકોણીયો જંગ છે. ભાજપે પ્રચાર પડઘમ શાંત થતા પહેલા રોડ-શો કર્યો.તો કોંગ્રેસે વોર્ડ વાઈઝ પ્રચાર પ્રકિયાને વેગ આપ્યો.તો મહાપાલિકા ચૂટણીમાં ગાંધીનગરમાં પહેલી વાર ઝુકાવનાર આપ પાર્ટીએ પણ વોર્ડ વાઈઝ પ્રચારને મહતા આપી છે.મહાનગર પાલિકા ચૂટણીમાં 140 મતદાન મથકો સામાન્ય શ્રેણીના છે. પરંતુ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર મતદાનના કલાકો દરમિયાનપોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે.
કોવીડ ગાઇડ લાઇનનું પાલન
મહાનગર પાલિકાની ચૂંટણી દરમિયાન 284 મતદાન મથકો પર સોશીય્યલ ડિસ્ટન્સ,માસ્ક,સેનેટાઈઝર્સ સહીત કોવીડ-19ની એ તમામ માર્ગદર્શિકાનું પાલન કરાવવામાં આવશે.અને વહીવટી તંત્ર એ પણ આ ગાઈડ લાઈનનું પાલન કરવા તૈયારીઓ કરી લીધી છે.તો સિનિયર સિટીઝન્સ ( અશક્ત-વૃદ્ધ ) મતદાતાઓ માટે જેને જરૂર હોય તેવા નાગરિકોને વ્હીલ ચેયર ની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.