રાજ્યમાં કોરોનાની વકરતી પરિસ્થિતિના કારણે ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય ઈલેક્શન કમિશને લીધો છે, મુખ્યમંત્રીએ પત્ર લખી કરી હતી રજૂઆત
ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા કરાયો નિર્ણય
કોરોનાના કારણે ચૂંટણી પંચ દ્વારા લેવાયો આ મહત્વનો નિર્ણય
મુખ્યમંત્રી રૂપાણીએ પણ પત્ર લખી કરી હતી રજૂઆત
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્ય ચૂંટણી આયોગે મનપાની ચૂંટણી મોકૂફ કરી દીધી છે. રાજ્યમાં વકરી રહેલા કોરોના સંક્રમણને લઇ ચૂંટણી મોકૂફ કરાઈ છે. ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટીએ ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી. તમામની રજૂઆત બાદ ચૂંટણી પંચે નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત પણ થઈ જશે.
ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા અંગે ચૂંટણી પંચે નિર્ણય લીધો છે. અને ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરશે.મહત્વનું છે કે, ગાંધીનગર ચૂંટણીને લઈ મુખ્યમંત્રી CM રૂપાણીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હાલના સમયમાં ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી. જો કે, ગાંધીનગર ચૂંટણી માટે ઉમેદવારી પણ નોંધાઈ ચૂકી છે. અને 18 એપ્રિલના દિવસે ચૂંટણી યોજાવવાની છે. તે પહેલા મુખ્યમંત્રીએ ચૂંટણી પંચને આ રજૂઆત કરી છે.
AAP અને કોંગ્રેસ પણ કરી ચૂક્યું છે રજૂઆત
આ અગાઉ આપ અને કોંગ્રેસ દ્વારા પર ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા માટે રજૂઆત થઈ ચૂકી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમતિ ચાવડાએ ચીફ જસ્ટિસને પત્ર લખીને આ મુદ્દે રજૂઆત કરી હતી.
ચૂંટણીપંચનો લૂલો બચાવ કર્યો હતો
કોરોના મહામારી વચ્ચે ગાંધીનગર મનપાની ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી. જેને લઈ ચૂંટણી પંચની કામગીરી અંગે સવાલો ઉઠ્યા હતા ત્યારે ચૂંટણી કમિશનરે લૂલો બચાવ કર્યો હતો. ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે નિવેદન આપ્યું હતું કે, ગાંધીનગરની પ્રજા શિક્ષિત છે અને કોરોનાને ધ્યાને રાખીને તેઓ નિયમોનું પાલન કરશે. જેને લઈ અન્ય શહેરોના લોકો રોષ વ્યકત કરી રહ્યા છે કે શું અન્ય શહેરોમાં શિક્ષિત પ્રજા નથી.
ગાંધીનગર ચૂંટણીની તારીખ જાહેર
ગાંધીનગર મહાનગર પાલિકા માટે 18 એપ્રિલે ચૂંટણી યોજાશે.
20 એપ્રિલના દિવસે પરિણામ જાહેર કરાશે.
પહેલી એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
11 વોર્ડમાં ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર
5 ચૂંટણી અધિકારી અને 5 મદદનિશ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.