રાજ્યમાં ગાંધીનગર મનપા, વિવિધ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી-પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે.
ગાંધીનગર મનપામાં ભાજપનો ભવ્ય વિજય
ભાજપ 41, કોંગ્રેસ 2 અને આપની 1 બેઠક પર જીત
અમે 2022ની ચૂંટણી જીતવાના છીએઃ ગોપાલ ઇટાલીયા
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપે 41 બેઠકો પર જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે 2 અને આમ આદમીએ ખાતુ ખોલવતા માત્ર 1 બેઠક જ જીતી છે. ત્યારે આ ચૂંટણી પરિણામો અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
આપ નેતા ઇટાલીયાએ ગાંધીનગરના જનાદેશનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું કે, તેઓએ પોતાના ઘરના ખર્ચે ધંધા-રોજગારમાંથી સમય કાઢીને લાગણી-જૂનુનથી ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા અને મહેતન કરી. ગુજરાતના ખૂણેખૂણેથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા.
સત્તા અને કામની લડાઈમાં અમારૂ જૂનુન સફળ રહ્યુંઃ ઇટાલીયા
ભાજપ પર પ્રહાર કરતા ઇટાલીયાએ કહ્યું કે, એક તરફ અમર્યાદિત પૈસા, અમર્યાદિત સત્તા, અમર્યાદિત નિરંકુશ પોલીસની સત્તા. તો આ સત્તા અને કામની લડાઈમાં અમારૂ જૂનુન સફળ રહ્યું છે. અમારૂ જૂનુન ગુજરાતના અને ગાંધીનગરના લોકોમાં પહોંચાડવામાં સફળ રહ્યા છીએ. સૌનો આભાર માનું છું. પહેલી વખત ગાંધીનગરની જનતાએ વિશ્વાસ રાખ્યો છે. ચૂંટણાં કાળા નાણાનો બેફામ ઉપયોગ થયો. આપના કાર્યકરો પર જૂલમ કર્યો, પરંતુ અમે મજબૂત ટક્કર આપી.
અમે 17 ટકાથી 97 ટકા સુધી પહોંચાડવાની મહેતન કરીશુંઃ ઇટાલીયા
ઇટાલીયાએ કહ્યું કે, ગાંધીનગરની જનતાનો આભાર માનું છું. કદાચ અમારા ઉમેદવાર જીતી શકે તે આંકડા સુધી નથી પહોંચી શક્યા. પરંતુ અમને 17 ટકા જેટલા મત મળ્યા છે. કામ, શિક્ષણ અને સ્વાસ્થ્યની રાજનીતિ પર 17 ટકાએ ભરોસો વ્યક્ત કર્યો છે. અમે 17 ટકાથી 97 ટકા સુધી પહોંચાડવાની મહેતન કરીશું. તમામ કર્મચારીઓ, મિડાયા, કાર્યકર્તા, શુભચિંતકો... તમામનો આભાર વ્યક્ત કરું છું.
ભરોસો વ્યક્ત કર્યો છે.
ઇટાલીયાએ કહ્યું કે, અમારા આત્મવિશ્વાસ બિલકુલ ધક્કો નથી લાગ્યો. હાર વોહ જાતા હે જો માન લેતા હે, જીત વોહ જાતા હે જો ઠાન લેતા હે. અમે માની લીધુ છે કે અમે 2022ની ચૂંટણી જીતવાના છીએ. અમે પહેલી લડાઇ જીતી ચૂક્યા છીએ. 4 વોર્ડમાં આપ બીજા નંબરે છે.