ગાંધીનગર કલોલના શેરથા ગામે સરદાર પટેલની પ્રતિમાનું અપમાન કરાયું છે. અજાણ્યા શખ્સોએ પ્રતિમાને ખાલી બોટલનો હાર પહેરાવ્યો હતો. જોકે હાર પહેરાવ્યા બાદ પોલીસ દ્વારા પ્રતિમા પરતી હાર ઉતારવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આજરોજ રાજ્યના પાટનગર ગાંધીનગર નજીક બનેલ આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોચ્યો હતો. અને તાત્કાલિક અસરથી પ્રતિમા પર રહેલા હારને ઉતારી લેવામાં આવેલ.
જો કે આ ઘટનાને પગલે પાટીદાર સમાજમાં રોષની લાગણી ફેલાઇ હતી અને આ અઘટિત કૃત્ય કરનારને ઝડપી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી. આપને જણાવી દઇએ કે આ પ્રતિમા વર્ષ 1992માં અનાવરણ કરવામાં આવ્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.