ગાંધીનગર: હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન પર સરકાર તરફથી પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. મંત્રી સૌરભ પટેલે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન પર કહ્યું કે હાર્દિક પટેલની તબિયત અંગે અમે ચિંતિત છીએ. પરંતુ હાર્દિક પટેલ ડોક્ટરની સલાહ નથી માનતો કે નથી ચેકઅપ કરવા દેતો.
મંત્રી @saurabhpatelguj નુ @HardikPatel_ ના ઉપવાસ મુદ્દે નિવેદન તબિયતમાં બદલાવ આવે તે સ્વાભાવિક છે હાર્દિકની તબિયતને લઈને અમે ચિંતિત છીએ 3 વર્ષ પહેલાં કહ્યું હતું આંદોલન કૉંગ્રેસ પ્રેરિત છે ડોકટર પાસે તપાસ કરાવે એવી અમારી ઈચ્છા હાર્દિક ડોકટરને સહકાર નથી આપતાઃ સૌરભ પટેલ pic.twitter.com/TMzb3uSW4r
આ સાથે તેમણે વધુમાં કહ્યું કે હાર્દિક માટે સરકારે તમામ વ્યવસ્થા ગોઠવી આપી છે. આ સાથે ગુજરાત ભાજપના મંત્રી સૌરભ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે અમે પહેલા જ કહ્યું હતું કે આંદોલન કોંગ્રેસ પ્રેરીત છે.
ખેડૂતોને દેવા માફી મુદ્દે @saurabhpatelguj નુ નિવેદન ખેડૂતો માટે પણ સરકાર બધા જ ક્ષેત્રમાં મદદ કરવા તૈયાર સરકારે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ લૉન આપી આજની તારીખમાં રાજય સરકારનો વિચાર સ્પષ્ટ છે આવતા દિવસમા ખેડૂતોની આવક વધે અને ખર્ચ ઘટે તેવા પ્રયત્નો-સૌરભ પટેલ pic.twitter.com/Koyt82gVDF
આ સાથે જ સૌરભ પટેલે કહ્યું કે ખેડૂતોની ચિંતા સરકારને છે અને તેમની આવક વધારવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ વર્ષોથી તોફાનો કરાવતી આવી છે અને આગામી દિવસોમાં પણ કરાવશે. જેથી પાટીદારોએ કોંગ્રેસથી ચેતવાની જરૂર છે.
રાજય સરકારે બધી જ વ્યવસ્થા ગોઠવી છે #BJP વિરોધી ગુજરાત વિરોધી લોકો મળવા જાય છે જ્યાં જરૂર પડે ત્યા અમે મદદ કરીશુ #Congress રાજ્યપાલને આપેલા આવેદનમા ક્યાંય અનામત બાબતે સ્પષ્ટતા નથી સુપ્રીમે કોર્ટે અનામત બાબતે સ્પષ્ટ કહ્યું હતું તો કઈ રીતે અનામત આપી શકેઃ @saurabhpatelgujpic.twitter.com/yOX9Q78suL
આપને જણાવી દઇએ કે છેલ્લા 10 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહેલા હાર્દિક પટેલને દિવસેને દિવસે સમર્થકો મળવા આવી રહ્યા છે. તેની સાથે કોંગ્રેસના અને અન્ય પક્ષના નેતાઓ પણ હાર્દિકને મળવા આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની ભાજપ સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ હાર્દિકને સમર્થન આપ્યું હતું. જો કે આજરોજ ભાજપના સાંસદ અને જાણીતા શત્રુધ્ન સિંહા અને યશવંતસિન્હા આજરોજ હાર્દિક પટેલને મળવાના છે.