જૂનાગઢના કેશોદમાં સામે આવેલા તુવેર કૌભાંડ બાદ હવે સરકારી તંત્ર રહી રહીને જાગ્યું છે. અગાઉ પણ અનેક વાર સરકારી ગોડાઉનમાં આગ લાગવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેને લઇને હવે તંત્ર જાગ્યું છે.
તમને જણાવી દઇએ કે, તંત્ર દ્વારા રાજ્યના 560 ગોડાઉનમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આજે ગાંધીનગરમાં પુરવઠા બોર્ડની બેઠક મળશે.
આ બેઠકમાં રાજ્યના ગોડાઉનમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે ઠરાવ પસાર કરવામાં આવશે. રાજ્યના 560 ગોડાઉનમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે ઠરાવ પસાર કરવામાં આવશે. ગેરરીતિ ડામવા માટે પુરવઠા બોર્ડ આ નિર્ણય લઈ શકે છે.