રાજ્યમાં હાલ LRD ભરતી મામલે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. જેમાં CM રૂપાણીએ કહ્યું છે કે જૂની પદ્ધતિ પ્રમાણે ભરતી કરવામાં આવશે. કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું બંધ કરે.
LRD ભરતી મામલે CM વિજય રૂપાણીનું નિવેદન
જૂની પદ્વિતિ પ્રમાણે ભરતી કરવામાં આવશે
કોંગ્રેસ સમાજ-સમાજ વચ્ચે વિગ્રહ કરાવા માગે છે
ઉલ્લેખનીય છે કે LRD અનામત આંદોલનને લઈને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.આંદોલનનો આજે 70મો દિવસ છે ત્યારે અનામતવર્ગના ઉપવાસનો આજે 27મા દિવસ પણ વિરોધ યથાવત રાખવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં લોકરક્ષક દળની મહિલાઓ છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહી છે. આ મામલે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. સરકારની જાહેરાત બાદ પણ હજુ સુધી અનામત વર્ગનું આંદોલન યથાવત્ છે. અનામત આંદોલનની મહિલાઓની પરિપત્ર રદ કરવાની માગ યથાવત્ છે.
બિન અનામત વર્ગનું આંદોલનને લઈને સ્ટેન્ડ હજુ સુધી નક્કી થયુ નથી. આ મામલે આજે બેઠક મળવાની છે. આ બેઠક બાદ બિન અનામત વર્ગ પોતાનું સ્ટેન્ડ નક્કી કરશે. બિન અનામત વર્ગનું આંદોલન ચાલુ રહેશે કે નહીં તે અંગે બેઠકમાં નિર્ણય થશે. સરકારના નિર્ણયનો અભ્યાસ કર્યા બાદ આંદોલનકારીઓ દ્વારા નિર્ણય લેવાશે.