ગુજરાતમાં એક તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનની તડામાર તૈયારીઓ ચાલુ છે ત્યારે બીજી તરફ ગાંધીનગરમાં 67 દિવસથી ઉપવાસ પર બેઠેલી મહિલાઓનો મુદ્દ આગ પકડી રહ્યો છે. ત્યારે મધ્યસ્થી મામલે વરૂણ પટેલ અને યજ્ઞેશ દવે આંદોલન સ્થળે પહોંચ્યા હતા. તેમણે બિન અનામત વર્ગના આગેવાનો સાથે ચર્ચા કરી હતી.
LRD ભરતી મેરિટ વિવાદનો મામલો
મધ્યસ્થી મામલે વરૂણ પટેલ અને યજ્ઞેશ દવે આંદોલન સ્થળે પહોંચ્યા
બિન અનામત વર્ગના આગેવાનો સાથે ચર્ચા
ઉલ્લેખનીય છે કે, સરકારે આ બન્ને નેતાઓને મધ્યસ્થીની જવાબદારી સોંપી છે. આ મામલે વરૂણ પટેલે નિવેદન આપ્યું આપ્યું હતું કે, આજે સવારે મુખ્યમંત્રીએ બેઠક માટે બોલાવ્યો હતો. સરકાર આપણી માગો પર હકારાત્મક છે. તથા આજ સાંજ સુધીમાં સરકાર વાતચીત માટે બોલાવશે.
સરકાર મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તૈયાર
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તૈયાર છે. સમગ્ર મામલે સરકાર CM રૂપાણી સાથે વાતચીત કરવામાં આવી હતી.
આદિવાસી તથા માલધારી સમાજનું મહિલાઓને સમર્થન
LRD ભરતી મેરિટ વિવાદના મામલે અનામત વર્ગની મહિલાઓ છેલ્લા 67 દિવસથી ધરણાં કરી રહી છે. ધરણા કરી રહેલી મહિલાઓને આદિવાસી અને માલધારી સમાજે સમર્થન આપ્યું છે. અનામત વર્ગની મહિલાઓના સમર્થનમાં આદિવાસી સમાજ જોડાયો છે અને 1-8-18નો પરિપત્ર રદ કરવાની માગ કરી છે.
શું છે સમગ્ર મામલો
1 ઓગસ્ટ 2018નો પરિપત્ર મુદ્દે હજુ સુધી કોઇ સમાધાન નથી થયું. આ મામલે બિનઅનામત અને અનામત એમ વર્ગ આમના સામને આવી ગયા છે. અનામત વર્ગ 1 ઓગસ્ટ 2018નો પરિપત્ર રદ્દ ન કરવાની માંગણી કરી રહ્યાં છે તો બીજી તરફ અનામત પક્ષ આ પરિપત્રને રદ્દ કરવા માટે લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં છે. આજે ગાંધીનગર સેન્ટ્રલ વિસ્તારમાં પાસ અને એસપીજીની આગેવાનીમાં બિન અનામત મહિલાઓ ધરણા કરી રહી છે.
વિપક્ષના સરકાર પર પ્રહાર
અનામત અને બિન અનામત વર્ગની અનામતની મડાગાંઠ હજુ ઉકેલાઈ નથી. તેવામાં રાજકારણ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. ભાજપ અને કૉંગ્રેસ સામસામે આક્ષેપબાજી કરવામાં લાગી ગયા છે. કોંગ્રેસે આંદોલનકારીઓને સમર્થન આપવાની વાત સાથે પરિપત્ર રદ કરવાની માંગ કરી છે. કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકારને અનામત વિરોધી ગણાવીને નિશાન સાધ્યું છે. કૉંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે ભાજપનો એજન્ડા SC, ST, OBC વર્ગની અનામત ખતમ કરવાનો છે. તો પરેશ ધાનાણીએ કહ્યું કે મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા માટે સરકાર વિવિધ સમાજો વચ્ચે વર્ગ-વિગ્રહનો માર્ગ અપનાવી રહી છે. જ્યારે અમિત ચાવડાએ નીતિન પટેલ પર પ્રહાર કરતાં કહ્યું કે નીતિનભાઈ વિજયભાઈને પૂછીને નિવેદન કરે છે અથવા નીતિનભાઈ વિજયભાઈને ડિસ્ડર્બ કરે છે.