બિન સચિવાલયની પરીક્ષા થયેલી ગેરરીતિને લઇને રાજ્યભરમાં આક્રોશ જોવા મળ્યો હતો. જેને લઇને પરીક્ષાના ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે વિરોધ કરવામાં આવ્યો. જેને લઇને કોંગ્રેસે પણ ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું હતું. જને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ફરી બિનસચિવાલયનું પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી છે.
પરીક્ષા રદ માંગ મુદ્દે જીગ્નેશ મેવાણીનુ નિવેદન
સરકારે નવેસરથી પરીક્ષા લેવી જોઈએ
પેપર લીક થયુ છે તો પરીક્ષા રદ્દ થવી જોઈએ
રાજ્યમાં આજથી ત્રણ દિવસિય શિયાળુ સત્રનો જ્યારે પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિ તેમજ મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર મુદ્દે કોંગ્રેસ દ્વારા વિધાનસભાનો ઘેરાવ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે આ મમુદ્દે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરીક્ષા રદ્દ કરવી જોઇએ. જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે ઉમેદવારોના પૈસાનું નુકસાન ન થાય તેવી રીતે ભરપાઇ કરવી જોઇએ.
આ અગાઉ કોંગ્રેસના પ્રદેશ દ્વારા બિનસચિવાલય પરીક્ષા મુદ્દે વિધાનસભામાં રાજ્ય સરકારને ઘેરવાની રણનીતિ બનાવી લીધી છે. જેને લઇને કોંગ્રેસ ગાંધીનગરમાં વિધાનસભા કૂચ કરશે. જેને લઇને સરકાર વિધાનસભાના તમામ ગેટ પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે પોલીસ દ્વારા તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.