છેલ્લા 12 વર્ષથી કાર્યરત ગાંધીનગરનું જનસેવા કેન્દ્ર હવે આધુનિક સુવિધાઓ સાથે નવા રંગરૂપ ધારણ કરી રહ્યું છે. આ કેન્દ્ર હવે સંપૂર્ણ પણે સેન્ટ્રલી એસી થી રહ્યું છે. એટલે હવે અરજદારોને આ કાળઝાળ ગરમીમાં પક્ષની અપુરતી હવા ના બદલે પુરી ઠડક મળતા પસીનો નહીં વહાવવો પડે.
એટલું જ નહીં વેઇટિંગ માટે આરામદાયક બેઠક યવસ્થા પણ મળશે અને લાઈનમાં ઉભા રહીને ક્યારે વારો આવે તેના માટે ડોકિયાં નહીં કરવા પડે, પણ ઇલેક્રોનિકસ ડિસ્પ્લે સિસ્ટમ નો લાભ મળશે જેમાં ટોકન સિસ્ટમ હશે તેથી લાઈનમાં પણ નહીં ઉભા રહેવું પડે.
પાઠ્યપુસ્તકો નહીં મળતા ગાંધીનગરના વિદ્યાર્થીઓ મુંઝવણમાં:
ગાંધીનગરની કેટલીક શાળાઓમાં વેકેશન ખુલતાંજ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે, પરંતુ હજુ સુધી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો નહીં મળવાના કારણે ન છૂટકે પુસ્તકો માટે પૈસા ખર્ચવાની નોબત આવી રહી છે. ગ્રાન્ટેડ અને સરકારી શાળાના આ બાળકો મફત પુસ્તકો મેળવવા હકદાર હોવા છતાં સમયસર પુસ્તકો નહીં મળતા ખર્ચ કરવા મજબુર બન્યા છે ખુદ ડીઈઓ પણ આ મુદ્દે લાચાર છે કેમ કે પાઠ્યપુસ્તક મંડળમાંથી તેમને પુસ્તકોની ફાળવણીજ થઈ નથી.
રાશિ અને નક્ષત્રના બેઝ પર બનેલા પુનિતવનના નેસર્ગીક સૌંદર્યમાં વધારો કરવા માટે ચાર વર્ષ પહેલા બનાવાયેલી 125 યોજનાની વિકાસ ફાઈલ અત્યારે સચિવાલયમાં ગોટે ચડી છે, એટલે કે, ખોવાઈ ગઈ છે. મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ પ્રધાન સાથે ચર્ચા કરાયા બાદ યોજનાની ફાઈલ તૈયાર કરાઈ હતી. આ યોજના જો મજુરથી હોતતો પાટનગરવાસીઓને જોગિગ ટ્રેક, સુશોભિત તળાવ, લૅસ્કેપિંગ, વાંસની હટ, સસ્પેનશન બ્રિજ સહિતની સુવિધાનો લાભ મળત.