ગાંધીનગર: ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાના કાર્યક્રમમાં અંશતઃ ફેરફાર થયો છે. આ મામલાની સત્તાવાર જાણકારી ગુજરાત રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડે તાજેતરમાં કરી હતી.
આ સાથે જ બોર્ડ દ્વારા કરવામાં આવેલ ફેરફાર અંગેની વાત કરતા માધ્યમિક શિક્ષણ બોર્ડેના એક ઉચ્ચ અધિકારીએ જણાવેલ કે આગામી 8 માર્ચના રોજ લેનાર તત્વજ્ઞાનની પરીક્ષા 9 માર્ચે લેવામાં આવશે. તો આંકડાશાસ્ત્રની પરીક્ષા 8 માર્ચે લેવામાં આવશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા લેવાયેલા આ નિર્ણયનો હેતુ વિદ્યાર્થીઓને સરળતા રહે તે માટે કરવામાં આવ્યો હોવાનું માધ્યમિક શિક્ષણ બોર્ડેના ઉચ્ચ અધિકારીએ જણાવેલ.
માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા લેવાયેલો આ નિર્ણય ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના સંદર્ભમાં લેવામાં આવ્યો છે. આ ફેરફાર અંગેની સત્તાવાર જાણ તમામ શાળાઓ અને શિક્ષકો અને વિદ્યાર્થીઓને કરવામાં આવી છે.