ખાતરમાં સરકાર દ્વારા ભાવ વધારાનો વિવાદ ફરી સામે આવ્યો છે. બનાસકાંઠાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે ઇફકો હજુ પણ નવા ભાવથી જ ખાતર વેચ છે.
ખાતરના ભાવને લઈને ફરી અસમંજસ
વધારેલા ભાવે ખાતર મળતા ખેડૂતોમાં આક્રોશ
ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ કરી સ્પષ્ટતા
ખેડૂતોએ કહ્યું કે NPK રૂ.1 હજાર 185ની જગ્યાએ 1 હજાર 440 રૂ.ના નવા ભાવ સાથે વેચાઇ રહ્યું છે. એટલે કે એક બેગ પર 255 રૂપિયાનો વધારો યથાવત છે. ત્યારે ખેડૂતોએ દાવો કર્યો છે કે કોઇ જ ભાવ વધારો પાછો નથી ખેંચાયો. તમામ ઇફકોના ખાતરના ભાવમાં વધારો હજુ પણ યથાવત છે.
દિલીપ સંઘાણીએ VTV સાથે કરી ખાસ વાતચીત
ત્યારે આ અંગે ઇફ્કોનો ચેરમેનમ દિલીપ સંઘાણીએ જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસ 27 વર્ષથી સત્તાથી દૂર છે એટલે આવા મુદ્દા ઉઠાવે છે. ખાતરમાં રો-મટિરિયલના ભાવ વધ્યા છે. સરકાર ખાતર પર 1 લાખ કરોડની ખેડૂતોને સબસિડી આપે છે. હાલમાં 1800 રૂપિયા જેટલી સબસિડી અપાય છે. ખાનગી કંપનીઓના ખાતરના ભાવ ઇફ્કોના નામે ચડાવાય છે. ભાવ વધતા સરકારે સબસિડી વધારી છે. અને યુરિયા કે DAPમાં એકપણ રૂપિયાનો વધારો નથી થયો. દિલીપ સંઘાણીએ કહ્યું કે સબસિડીમાં 28 હજાર કરોડનો વધારો કરાયો છે.
ઇફ્કોને બદનામ કરવાનું કાવતરું
ત્યારે આ ઇફ્કોને બદનામ કરવાનું કાવતરું છે. 4 હજાર કરોડની ખોટ ખાઇને ખેડૂતોને ખાતર આપ્યું છે. અને લાંબા સમયથી સહકારી સંસ્થાઓ ખોટ ખાઇ રહી છે. અગાઉ આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે ખાતરના ભાવમાં કોઇ વધારો કરવામાં નહિ આવે.
ભારત સરકારની ઉચ્ચ કક્ષાની મિટિંગ લેવાયો છે નિર્ણય
ભારત સરકારની ઉચ્ચ કક્ષાની મિટિંગમાં નિર્ણય લેવાયો છે. જુના ભાવે જે ખાતર મળતું હતું તે જ ભાવે મળશે. સરકાર ખેડૂતો પર વધારાનો કોઈ બોજ નહીં પડવા દે. મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે કંપનીઓને ભાવ વધારો પરત ખેંચવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જો કે હવે બનાસકાંઠાના ખેડૂતો દ્વારા આરોપ કરાયો છે. જેને લઇ હવે ફરી ખાતરના ભાવને લઇને સવાલો ઉઠ્યા છે.