ગાંધીનગર CID-IBમાં ફરજ બજાવતા પોલીસ જવાને થોડા દિવસ પહેલા કરેલી આત્મહત્યા કેસમાં સ્યુસાઇડ નોટ સામે આવતા નવો વળાંક આવ્યો છે.
પોલીસકર્મીની આત્મહત્યા મામલે નવો વળાંક
પોલીસકર્મીની સ્યુસાઇડ નોટ મળી
ડિપાર્ટમેન્ટ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
પોલીસકર્મીની આત્મહત્યા મામલે નવો વળાંક
સુરેન્દ્રનગર જિલ્લાના મુળીના સરા ખાતે રહેતા અને હાલ ગાંધીનગર CID-IBમાં ફરજ બજાવતા પોલીસ જવાને થોડા દિવસ પહેલા આત્મહત્યા કરી હતી. આ કેસમાં પોલીસકર્મીએ લખેલી સ્યુસાઇડ નોટ સામે આવતા નવો વળાંક આવ્યો છે. આ સ્યુસાઈડ નોટમાં PM મોદી અને CMનું સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં દિપકસિંહ પરમારે આત્મહત્યાનું કારણ જણાવતા લખ્યું હતું કે, મારી પત્ની સાથેની અંગત પળોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોવાથી આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું છે.
ડિપાર્ટમેન્ટ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
તેમજ સ્યુસાઇડ નોટમાં ડિપાર્ટમેન્ટ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે.પોતાને અને પરિવારને હેરાન કરાતો હોવાનો આક્ષેપ કરાયો છે. જેમાં ડી.કે.રાણા, ભારતીબેન અને AIO નીશાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ આ લોકો પર માનસિક ત્રાસ આપી હેરાન કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. અને હત્યા કરાવવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરાયો છે. પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે.સ્યુસાઇડ નોટ મૃતક પોલીસકર્મીએ લખી હતી કે નહીં તે અંગે તપાસ શરૂ કરી છે.