ગાંધીનગર: ફરસાણમાં વપરાતું તેલ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. વેપારીઓ એકજ તેલનો વારંવાર ઉપયોગ કરે તેનાથી તમને ગંભીર રોગી થઇ શકે છે. જેના કારણે હવે આવા તેલ ઉપર પ્રતિબંધ લાવવા માટે ફુડ એન્ડ ડ્રગ વિભાગે વિશેષ કાયદો બનાવ્યો છે અને આ તેલ ખરાબ છે કે સારૂ તે ચેકીંગ કરવા માટે ખાસ હાઇટેક મશીન લાવ્યા છે.
આરોગ્ય સાથે ચેડા કરનારા ફરસાણના દુકાનદારો હવે ફુડ એન્ડ ડ્રગ વિભાગથી બચશે નહીં. કારણકે ફરસાણમાં વપરાતા તેલની તપાસ માટે હાઈટેક TPC મશીનનો ઉપયોગ થશે. TPC મશીનની ખાસિયત એ છે કે તેલની અંદર તેનુ નોઝલ નાખતાંજ TPC કાઉન્ટ દેખાશે. જોકે સામાન્ય રીતે 25 TPCની નીચેનો સ્કોર આવશે તો તેલ સારું કહેવાય અને 25થી ઉપર TPC કાઉન્ટ હોય તો તે ખરાબ તેલ કહેવાશે.
મહત્વની વાત એ છે કે અત્યાર સુધી આવા તેલ વાપરનારાઓને અટકાવવા માટે કોઈ કાયદો પણ નહતો અને કોઈ સાધન પણ નહતો. હવે કેન્દ્ર સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાયદામાં સુધારો કરીને નિયમો બનાવ્યા છે. આ કાયદો 1 જુલાઈથી અમલમાં આવશે. દુકાનદારો અને જવાબદારો સામે ફોજદારી કેસ કરાશે.