ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર.પાટીલની નિમણૂંક થયા બાદ મંત્રીમંડળમાં ત્રણ નવા સભ્યો લેવાશે તેવી રાજકીય ચર્ચાએ જોર પકક્યું છે. ગુજરાતના મંત્રીમંડળ વિસ્તરણની અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે રૂપાણી સરકારમાં આગામી સમયગાળામાં મંત્રી મંડળનું વિસ્તરણ થશે.
રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે
17 સપ્ટેમ્બરે નવનિયુક્ત મંત્રીઓ લેશે શપથઃ સૂત્ર
રાજભવન ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે
પ્રાપ્ત થયેલા અહેવાલ પ્રમાણે, રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ, 17 સપ્ટેમ્બરે નવનિયુક્ત મંત્રીઓ શપથ લેશે. 16 સપ્ટેમ્બરે વર્તમાન મંત્રીમંડળની છેલ્લી બેઠક યોજાશે.
રાજભવન ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે
જ્યારે 22 સપ્ટેમ્બરના ભાજપના નવા સંગઠનની જાહેરાત થઇ શકે છે. નવા 7 મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. રાજભવન ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવશે. 17 સપ્ટેમ્બરે PM મોદીના જન્મદિવસે શપથ સમારોહ યોજાશે.
પ્રદિપસિંહ જાડેજાને શિક્ષણ વિભાગ : સૂત્ર
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, પ્રદિપસિંહ જાડેજાને શિક્ષણ વિભાગની જવાબદારી સોંપાઇ શકે છે. તો જીતુ વાઘાણીને કૃષિ વિભાગની ફાળવણી કરવામાં આવી શકે છે. તો બનાસકાંઠના સશાંક પંડ્યાને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી તરીકેને જવાબદારી સોંપાઇ શકે છે. વિસનગરના ધારાસભ્ય ઋુષિકુમાર તથા સુરતના પૂર્ણેશ મોદીનો પણ મંત્રી મંડળમાં સમાવેશ થઇ શકે છે.
કોને કેબિનેટમાં સ્થાન મળવાની સંભાવના?
ગુજરાતની નવી કેબિનેટમાં ગુજરાત ભાજપના પૂર્વપ્રમુખ જીતુ વાઘાણીનો સમાવેશ કરવામાં આવી શકે છે એટલું જ નહીં પરંતુ આત્મારામ પરમારને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
કોને કોને પડતા મુકાઈ શકે?
ગાંધીનગરના રાજનૈતિક વર્તુળોમાં હાલ ચર્ચા છે કે,ઇશ્વર પરમાર, આરસી ફળદુને નવી કેબિનેટમાંથી પડતા મુકાઈ શકે છે. એટલું જ નહીં પરંતુ મહામારીમાં સુરતમાં હાલ જે રીતની સ્થિતિ છે તે જોતા આરોગ્યમંત્રી કુમાર કાનાણીને પણ પડતા મુકાવામાં આવી શકે તેવી સંભાવના છે. આત્મરામ પરમાર અને વાધાણીની મંત્રીમડળમાં સમાવી શકે.