ગાંધીનગર: ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની સાપ્તાહિક એકમ પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે 22 ડિસેમ્બરથી પ્રાથમિક શાળામાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ સાપ્તાહિક પરીક્ષા લેવામાં આવશે. શનિવારે સાપ્તાહિક મુલ્યાંકન કરી વિદ્યાર્થીઓને ગુણ આપવામાં આવશે. જેથી શિક્ષણનું સ્તર જાણી શકાય અને યોગ્ય પગલા લઈ શકાય.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત રાજ્યભરમાં અંદાજે ૧૫ ૦૦૦થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ છે. જેમાં ૬૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જ્યારે ખાનગી શાળાઓમાં ધો. ૩થી ધો. ૮માં ૩૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હાલ પૂરતો આ વર્ષ માટે આ નિર્ણય ગુજરાતી માધ્યમ અને સરકારી પ્રાથમિક શાળાઓ પૂરતો મર્યાદિત રખાયો છે.
ત્યારે તાજેતરમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની સાપ્તાહિક એકમ પરીક્ષા લેવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે લેવામાં આવશે અને તેનો અમલ આગામી 22 ડિસેમ્બરથી જ લેવાનારી પરીક્ષામાં થનાર છે.